Thursday, May 15, 2025
Google search engine
HomeSocietyYouth & Womenદિવાળી પછી પણ દિવાળી

દિવાળી પછી પણ દિવાળી

દિવાળી આવી પાછી જાય અમે તો ઝળહળવાના રે,
પ્રગટાવો દીવા ચારેકોર અમે તો ઝળહળવાનાં રે,

બે અઠવાડીયા વીતી ગયા છતાં અમેરિકામાં દિવાળી અને તેનું સેલિબ્રેશન ચાલુ છે. આ વિકેન્ડમાં ડેલાવર સ્ટેટમાં ગુજરાતી સમાજ અને અહી નવો ઉભરતો વૈષ્ણવ સમાજે ભેગા મળીને અન્નકુટની ઉજવણી કરી, વૈષ્ણવ ભક્તો ઉપરાંત બીજા ઘણા ગુજરાતીઓ ભેગા મળીને આ ઉત્સવ ઉજવ્યો હતો.

અમેરિકામાં ડેલાવર સ્ટેટમાં વૈષ્ણવ સંપ્રદાય સમાજ છેલ્લા કેટલાય વખતથી એક નાનો હોલ રાખી દર મહીને શ્રીજી બાવાની પૂજા પાઠ વગેરે કરે છે. વૈષ્ણવ સમાજની રચના તો થઈ પરંતુ એ કેવી રીતે થઈ એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. આ વાત પણ મજાની છે. અહિયાં રહેતા વૈષ્ણવો ભેગા મળીને આમ પાઠ ધોળ કીર્તન કરતા હતા. એવામાં ચારેક વર્ષ પહેલા કડીની બેઠક ઉપરથી દ્વારકેશલાલ બાબા ફ્લોરીડા કથા કરવા આવ્યા હતા. સાથે શ્રીનાથજીની આ મૂર્તિ લાવ્યા હતા. તે ડેલાવર ખાતે કથા કરવા રોકાયા.

આ દરમિયાન તેમને પ્રેરણા થઇ કે આ મૂર્તિને છબી અહીજ રાખવી. બસ ત્યારથી શ્રીજી બાવાની આ સુંદર મૂર્તિ અહીં છે. નંદ મહોત્સવ, હોળી-ધૂળેટી, સાથે દરેક હિંદુ તહેવારમાં સહુ સત્સંગીઓ પ્રસાદ, જમવાનું બધું સ્વેચ્છાએ ઘરેથી બનાવી લાવીને ઉજવે છે.

ભગવાનની આ મનોહર મૂર્તિને કલ્પનાબેન પટેલ જે ડોવર ડેલાવરમાં રહે છે તેમના ઘરે રાખવામાં આવી. સહુથી અધરું અને ખુબ માવજત માંગી લેતું કામ છે વિધિસર પારંપરિક રીતે શ્રીનાથજીના શણગાર કરવાનું. રોજની પૂજા શણગાર કલ્પનાબેન કરે છતાં દર મહીને શણગાર માટે અને ખાસ તહેવારોમાં ભગવાન ઘર બદલે છે એટલેકે થોડા દિવસો પહેલા રૂપલ પટેલના ઘરે આવે છે, કારણ છે તેમનો દીકરો હિતેન જે બ્રિટીશ બોર્ન અને અમેરિકામાં મોટો થયેલો 26 વર્ષનો યુવાન છે હાલ ડેન્ટલ કોલેજમાં ડોક્ટરની ડીગ્રી મેળવી રહ્યો છે.

આ દીકરો ભગવાનના ખુબજ સુંદર વાધા અને શણગાર બધું ઘરે જાતે બનાવી પહેરાવે છે. મંદિરના મહંત કરતા પણ ખુબ ચીવટથી પ્રસાદથી લઇ બધીજ કામગીરી કરે છે. આમ સહુના સહકારથી આવા સુંદર પ્રસંગો પરદેશમાં પુરા પડે છે. આવા સંસ્કાર તેને જન્મજાત મળેલા કહી શકાય.

જરૂરી એવું કામ ભગવાનનું ઘર બનાવવાનું, આ માટે અહીના સત્સંગીઓ પુષ્ટિમાર્ગને આગળ લઇ જવા માટે ખુબ મહેનત કરી રહ્યા છે. પરદેશમાં રહીને પણ પોતાનો ધર્મ સંસ્કાર ટકાવી રાખવાની આધ્યાત્મિક સ્થળ એટલેકે એટલે કે શ્રીનાથજીની હવેલી માટે જગ્યાની શોધ આરંભાઈ છે.

આ સંસ્થા હજુ નવી છે, ખુબ મહેનત અને ફંડ માંગી લે તેમ છે છતાં ઘણા પુષ્ટિમાર્ગને અનુસરતા સત્સંગીઓ આ કાર્યને ઝડપથી પૂરું કરવા પ્રયત્નશીલ છે. પરદેશમાં રહીને પણ પોતાનો ધર્મ સંસ્કાર ટકાવી રાખવાની આધ્યાત્મિક સ્થળ બનાવવાની મહેનત સફળ થાય અને ભગવાને તેમનું ઘર મળી જાય તેવી અંતકરણની ઈચ્છા અને પ્રાર્થના..

  • રેખા પટેલ (ડેલાવર-યુએસએ)
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular