Sunday, June 29, 2025
Google search engine
HomeReligion & SpiritualitySadguruશું કર્મ સમાવિષ્ટતા સાથે વિરોધાભાસ છે?

શું કર્મ સમાવિષ્ટતા સાથે વિરોધાભાસ છે?

સદગુરુ: કર્મનો અર્થ છે કે જે આપણે કરીએ છીએ તે બધી વસ્તુઓની વધેલી સ્મૃતિ – શારીરિક, માનસિક, ભાવનાત્મક અને ઉર્જા મુજબની. બીજા શબ્દોમાં કહીએ તો, તે ચોક્કસ અસભાન સોફ્ટવેર છે જે તમે બનાવો છો. તે મેમરીની એક નિશ્ચિત માત્રા છે જે તમારા જીવનની વિવિધ સ્તરો પર આંકણી કરે છે.

ત્યાં ભૌતિક, માનસિક, ભાવનાત્મક મેમરી અને તેના ઉર્જાત્મક સ્તર છે, અને જો તમે તેને મંજૂરી આપો તો આ બધી બાબતો તમારા જીવન પર શાસન કરી શકે છે. તેથી કર્મ મર્યાદિત સીમા છે, પરંતુ તે મર્યાદાઓની અંતર્ગત, કર્મ ખૂબ જ ઉપયોગી છે. તે તમને સ્વચાલિત બનાવે છે, જેથી તમે ઘણી બધી બાબતોનો સહેલાઇથી પ્રતિસાદ આપી શકો.

જ્યારે તમે વિસ્તૃત કરવા માંગતા હોવ, ત્યારે સીમા સમસ્યા છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ઘરની આસપાસ સીમા દોરો છો, પછી જ્યારે તમે વિસ્તૃત કરવા માંગો છો, ત્યારે તે ખૂબ જ સરળ છે – તમારે ફક્ત બહાર ખસવું પડશે.

જ્યારે ધમકીઓ મળશે ત્યારે તમે સુરક્ષિત અનુભવશો. પરંતુ જો તમારા જીવનમાં કોઈપણ રીતે કોઈ જોખમ નથી, તો પછી તમે કુદરતી રીતે વિસ્તૃત થવા માંગશો. જ્યારે તમે વિસ્તૃત કરવા માંગતા હોવ, ત્યારે આ વિશાળ દિવાલને ખસેડવી અને તમારી સીમાને વિસ્તૃત કરવી ખૂબ મુશ્કેલ બનશે.

એ જ રીતે, કાર્મિક મેમરી એ ચોક્કસ દિવાલ છે જે તમે સેટ કરો છો. સમાવિષ્ટતા એ દરેક સાથે મૈત્રીપૂર્ણ રહેવાનો વિચાર નથી. અસ્તિત્વનું સ્વરૂપ જ  સમાવિષ્ટતા છે. જેમ તમે અહીં અસ્તિત્વ ધરાવો છો,  વૃક્ષ જે શ્વાસ બહાર કાઢે છે, તમે શ્વાસ લઈ રહ્યા છો. તમે જે શ્વાસ બહાર કાઢો છો, તે ઝાડ અંદર લે છે. જો તમે આ વ્યવહાર પ્રત્યે સભાન છો, તો માત્ર અહીં બેસવાનો અને શ્વાસ લેવાનો અનુભવ એકદમ અદ્ભુત અને ઉત્સાહપૂર્ણ હશે. જો તમે સભાન નથી, છત્તા પણ તમે ઓક્સિજન દ્વારા પોષણ પામી રહ્યા છો જે ઝાડ બહાર કાઢી રહ્યું છે, પરંતુ તમે તે અનુભવ ગુમાવી રહ્યાં છો.

સમાવિષ્ટતાનો અર્થ એ નથી કે તમારે કંઇક અલગ કરવું પડશે. ઝાડ અને માટી સાથે જે થાય છે તે તમને પણ થાય છે. તમે “મારી જાત” તરીકે જે વિચારો છો તે ખરેખર જ માટી છે જેના પર તમે ચાલો છો. અસ્તિત્વની પ્રકૃતિ સમાવિષ્ટ છે – તમારે ફક્ત તેના માટે સભાન બનવું પડશે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular