Friday, June 20, 2025
Google search engine
HomeReligion & SpiritualityBrahmakumariઆવેગના ભાવ વ્યક્ત કરવા માટે શબ્દો પૂરતા નથી

આવેગના ભાવ વ્યક્ત કરવા માટે શબ્દો પૂરતા નથી

આજના સંસારમાં મનુષ્ય ચિંતાઓથી ઘેરાયેલ રહે છે. આ ચિંતાઓ ભારવાળા મનના કારણે ઉત્પન્ન થાય છે. આપણને અનુભવ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે સામાન્ય વજનની કોઈ વસ્તુ હોય તો તે પ્યાર થી યોગ્ય જગ્યાએ તેને રાખી દે છે અથવા તો યોગ્ય વ્યક્તિને માન સહિત તે આપે છે. પરંતુ મનમાં અસહ્ય ભાર ઉઠાવેલ વ્યક્તિ તે જ વસ્તુને જોરથી ફેંકે છે, જેથી ઘણીવાર તે ચીજ ને નુકસાન પણ થઈ જાય છે. વિવિધ પ્રકારના આવેગ જેવા કે ક્રોધ, ધ્રુણા, ઉત્તેજના મનના અસહ્ય ભાર ને નિષ્ઠુરતાથી બહાર પ્રગટ કરવાના ચિન્હ છે. મનુષ્ય મનના ભારથી છુટકારો પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે તથા મનને હલકુ બનાવવા ઈચ્છે છે. આ ઈચ્છા ના કારણે તે સામેવાળી વ્યક્તિને થનાર નુકસાન ને પણ જોયું ન જોયું કરી દે છે.

આ સંબંધમાં ગૌતમ બુદ્ધના જીવનનો એક પ્રસંગ છે. મહાત્મા બુદ્ધ પોતાના પટ્ટ શિષ્ય આનંદ સાથે ભ્રમણ કરી રહ્યા હતા ક્રોધ તથા ધૃણા ના આવેગ સાથે એક વ્યક્તિ ડરતો દોડતો આવ્યો અને બુદ્ધના શરીર ઉપર થૂંક્યો. બુદ્ધે તરત જ હાથ જોડયાં અને કહ્યું કે મહેરબાની કરીને વધુ જે પણ કહેવું હોય તે કહી દે હું ધીરજપૂર્વક સાંભળવા માટે તૈયાર છું. આ સમયે શિષ્ય આનંદને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું કે મહાત્માજી તેને કંઈ કહ્યું તો છે જ નહીં, ઉલટાનું ખરાબ વર્તન કર્યું છે. આપ કહેતા હો તો તેને મોટો દંડ આપું. ગૌતમ બુદ્ધ શાંત ચિત્તથી આગળ વધ્યા. બીજા દિવસે સૂર્ય ઉદય સમયે તે વ્યક્તિ પાછો બુદ્ધની સામે આવ્યો અને તેમના પગ પર માથુ રાખી રોઈ રહ્યો હતો. અત્યારે બુદ્ધે કહ્યું જો આનંદ કાલે પણ આ કંઈક કહી રહ્યો હતો આજે પણ કંઈક કહી રહ્યો છે. આવેગના ભાવ એટલા પ્રબળ હોય છે કે તેને વ્યક્ત કરવા માટે શબ્દો પૂરતા નથી હોતા. એ તો પોતાના મનના ભાવોને પોતાના આચરણથી વ્યક્ત કરી રહ્યો છે. આનંદ , આ વ્યક્તિ દયાને પાત્ર છે.

આજે જે ગોળીઓ તથા બંદૂક ચાલી રહી છે. હિંસા તથા અન્યાયનું બજાર ગરમ થઈ રહ્યું છે. ચોરી તથા લૂંટફાટ વધી રહી છે. આ બધું માન વ મનના નકારાત્મક આવેગોનું જ પરિણામ છે. ફક્ત માનવ જ નહીં પરંતુ પ્રકૃતિ પણ પોતાના આવેગોને ધરતીકંપ, પૂર, તોફાન, તે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વિગેરે દ્વારા પ્રગટ કરે છે. સમુદ્ર લહેરોની વિપરીત અસર પણ પ્રકૃતિની આંતરિક પીડા નું પ્રગટીકરણ જ છે. આજે આપણે પ્રકૃતિને ધિક્કારીએ છીએ અને કહીએ છીએ કે જીવન આપવા વાળા પાણીએ જ કેટલા મનુષ્યોનું જીવન છીનવી લીધું! પરંતુ પ્રકૃતિના અવાજને આપણે નથી સાંભળી રહ્યા. આપણા સ્વાર્થી કર્મોએ તેને એટલી બધી દુઃખી કરી લીધી છે કે તે હવે મનુષ્યને દુઃખી કરીને પોતાના દુઃખને પ્રગટ કરી રહી છે. આથી પ્રકૃતિ ધિક્કારને નહીં પરંતુ દયા ને પાત્ર છે. જેવી રીતે બુદ્ધે તે વ્યક્તિને ધિક્કાર્યો નહીં તેના ઉપર દયા કરી. આપણે પણ પ્રકૃતિ પ્રત્યે દયા રાખીને તેના વિકરાળ સ્વરૂપને શીતળ કરવાની જરૂરિયાત છે. તે માટે પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનું શોષણ કરવાનું છોડીએ, પોતાની તમોગુણી ઈચ્છાઓ ને પૂરી કરવા માટે પ્રકૃતિને કદરૂપી બનાવવી છોડીએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular