Sunday, June 1, 2025
Google search engine
HomeReligion & SpiritualityBrahmakumariતમામ ગુણો તથા મૂલ્યોનો મુખ્ય આધાર શું?

તમામ ગુણો તથા મૂલ્યોનો મુખ્ય આધાર શું?

ગુણોથી ભરપૂર વ્યક્તિનું શરીર મૃત્યુ બાદ 5 તત્વોમાં ભળી ગયા પછી પણ મનુષ્ય આત્માઓના દિલમાં જગ્યા બનાવી લે છે. એમની યાદગાર સેંકડો વર્ષ સુધી બધાના દિલમાં તાજી રહે છે તથા પ્રેરણા સ્ત્રોત બને છે. ભારતના મંદિરોમાં જે દેવી દેવતાઓની પૂજા થાય છે તેઓ મૂલ્યોથી ભરપૂર હોવાના કારણે 2500 વર્ષથી પૂજાતા આવ્યા છે.

ભારતીય સમાજ પહેલાના જમાનાથી મૂલ્યોમાં વિશ્વાસ રાખતો આવ્યો છે. અહીંના અભણ લોકો પણ મૂલ્યોની ભાષા સારી રીતે સમજે છે. આ કારણે જ અભણ લોકોની સંસ્કૃતિમાં દયા, કરુણા, સહયોગ, પ્રેમ વગેરેના ઉદાહરણો જોવા મળે છે. વર્તમાન ભાગદોડની દુનિયામાં મનુષ્ય પદાર્થોના સંગ્રહમાં વ્યસ્ત રહીને અવિનાશી રૂપમાં સાથે રહેવા વાળા મૂલ્યોનો લાભ લેવા માટે બેદરકાર બની ગયો છે. જે મૂલ્યોના ઠંડા છાયડામાં તન-મનને શીતળ, શાંત કરવા તથા ખુશી શાંતિની અનુભૂતિ થી દુર જવાની યાતના ભોગવી રહ્યો છે, તે મનુષ્યને ફરીથી મૂલ્યોની છત્રછાયામાં સુરક્ષિત રાખવાના લક્ષ થી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંપૂર્ણ માનવ જગતમાં મૂલ્યોની જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. 16 કલા સંપૂર્ણ બનવા માટે જે મૂલ્યોને પસંદ કરવામાં આવ્યા છે તે છે – પવિત્રતા, શાંતિ, સહનશીલતા, પ્રેમ, નમ્રતા, ઉદારતા, ઈમાનદારી, સહયોગ, અહિંસા, મધુરતા વિગેરે. જેવી રીતે એક રંગમાં બીજા રંગ ભેળવીને અલગ-અલગ રંગ બનાવી શકાય છે.

એવી જ રીતે મુખ્ય મુલ્યોની ધારણા દ્વારા બીજા અનેક મૂલ્યોની ધારણા સ્વતઃ થઈ જાય છે. જેવી રીતે બધા રંગોનો મૂળ રંગ સફેદ રંગ છે. તેવી જ રીતે ઈશ્વરીય જ્ઞાન તથા ઈશ્વરીય યોગ એ તમામ ગુણો તથા મૂલ્યોનો મુખ્ય આધાર છે. માટે જ ઈશ્વર સાથે યોગ લગાવીને રાજયોગી બનવાની દીશા તેમના દ્વારા આપવામાં આવેલ જ્ઞાનને શીખીને ભાઈ-ભાઈ ની દ્રષ્ટિ અપનાવીને પવિત્રતા ધારણ કરવાની જરૂરિયાત છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે “પવિત્ર બનો યોગી બનો”. આ ઈશ્વરીય સંદેશ તથા નૈતિક મૂલ્યોની ધારણા દ્વારા આપણે દૈવી રાજ્યને ભારત ભૂમિ ઉપર અવશ્ય સાકાર કરીને બતાવીશું.

આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય સ્તર ઉપર સૌંદર્ય હરીફાઈનું આયોજન થતું રહે છે. કેટલાક વિશ્વ સ્તરના સંગઠન દ્વારા વિશ્વસુંદરીની પસંદગી થાય છે. આપણા દેશમાં પણ ભારત સુંદરીની પસંદગી માટે આયોજન થતું રહે છે. હરીફાઈના આયોજકો શારીરિક સૌંદર્યના આધારે તે સુંદરીઓને પહેલો, બીજો તથા ત્રીજો નંબર આપે છે. તેઓ સુંદરીઓને કેટલાક પ્રશ્નો પણ પૂછે છે. જેના જવાબ આપતા સમયે પ્રગટ થતો આત્મવિશ્વાસ પણ સુંદરીની પસંદગીમાં મદદ કરે છે. એ બાબતમાં કોઈ બેમત નથી કે શરીરનું સૌંદર્ય પણ કુદરતની એક ભેટ છે. ભારતના ભક્તો મંદિરોમાં દેવી દેવતાઓની મૂર્તિઓની સામે તેમની મહિમા કરતા સર્વાંગ સુંદર એ શબ્દ પણ જોડે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular