Saturday, May 17, 2025
Google search engine
HomeReligion & SpiritualityBrahmakumariભૂલવાના ગુણમાં જ યાદશક્તિનું રહસ્ય સમાયેલું છે

ભૂલવાના ગુણમાં જ યાદશક્તિનું રહસ્ય સમાયેલું છે

જેને આપણે આત્મા કે ચેતનતા કહીએ છીએ. વર્તમાન સમયે પુનર્જન્મના અનેક ઉદાહરણ પ્રકાશમાં આવ્યા છે. જે દ્વારા એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે યાદશક્તિનું કેન્દ્ર મગજ જ છે, તો આત્મા દ્વારા ધારણ કરવામાં આવેલ નવા શરીરમાં, નવા મગજમાં જૂની યાદો ક્યાંથી આવી ગઈ? આ પ્રશ્નનો જવાબ રાજયોગ શિક્ષણ પદ્ધતિ ( જેને વિજ્ઞાન પણ માન્યતા આપે છે ) ના આધારે આપણે આપી શકીએ છીએ. આત્માને મગજના આધારે અનેક બાબતો યાદ રહે છે. પરંતુ મૃત્યુની સાથે જ તે જન્મની યાદોથી આત્મા ખાલી થઈ જાય છે. નવા શરીરમાં નવા મગજના માધ્યમથી નવી યાદો પોતાનામાં ભરે છે. નવા જન્મની નવી બાબતો આત્મામાં ભરવાની સાથે જ પાછલા જન્મની યાદો ભૂલવાનું શરૂ થઈ જાય છે.

આ વિધાતા દ્વારા મળેલ એક ખૂબ મોટું વરદાન છે. નહીં તો કલ્પના કરો કે અનેક જન્મોની અનેક પ્રકારની યાદો માનવ મન માં ભરેલી રહે તો તેની શું દશા થાય? ઘણાને એ પ્રશ્ન થાય છે કે આપણે કામની વાતો કેમ ભૂલી જઈએ છીએ? વાસ્તવમાં મનની પ્રવૃત્તિ હાલક-ડોલક હીંચકા જેવી છે. આ હીંચકો એક તરફ નમશે તો બીજી તરફ ઊંચો થશે. જો એક તરફ વ્યર્થ વાતોનું 50 કિલોગ્રામ વજન હોય તો તે પલડું સ્વાભાવિક રીતે નીચે જમીનને અડશે અને બીજું પલડું ઉપર જશે. આમ યાદો વાળા પલડાને ત્યારે જ નીચે લાવી શકાશે જ્યારે વ્યર્થના વજનને ઓછું કરવામાં આવશે. આ પ્રકારે ભૂલવાના ગુણમાં જ યાદશક્તિ ના વિકાસ નું રહસ્ય સમાયેલું છે. આપણે ધ્યાન રાખવાનું છે કે કોઈને ભુલક્કડ કહીને તેની ભૂલોને ભાલાની જેમ તેને દુ:ખનો અનુભવ કરાવવો એ બરાબર નથી. કારણકે હંમેશા જાગતી જ્યોત, જ્ઞાનના સાગર ભગવાન શિવ કહે છે કે – “સૌથી મોટી ભૂલ છે ભગવાનને ભૂલવા”. માટે જ જેઓ બીજાની ભૂલોને નથી ભૂલતા તેઓ તે સમયે ભગવાનને ભૂલવાની ભૂલ તો પોતે જ કરી રહ્યા હોય છે અને જે પોતે જ ભૂલ કરી રહેલ હોય છે તે બીજાને અભૂલ બનાવવાના પુરુષાર્થમાં કેવી રીતે સફળ થશે! માટે જ બીજાને ભુલક્કડ કહીને તેની મજાક ન ઉડાવીએ પરંતુ પોતે પરમાત્મા શિવપિતા ની યાદ માં રહીને પોતાને ભૂલોથી બચાવીએ.

સૃષ્ટિની શરૂઆતથી જ ગૃહસ્થ જીવન ચાલતું આવ્યું છે. માતા-પિતા અને બાળકો એ ગૃહસ્થ જીવનનું સ્વરૂપ છે. સૃષ્ટિના ભગવાન શિવ અનાદિ ગૃહસ્થી છે જેઓ વિશ્વના કરોડો આત્માઓના માતા-પિતા છે. સાકારમાં પણ તેઓ માતા-પિતા તરીકે પાલના કરે છે.

ધર્મની ગ્લાનીના સમયે તેઓ આ સૃષ્ટિ ઉપર અવતરિત થાય છે અને રાજયોગના અભ્યાસ દ્વારા માનવની બુદ્ધિને તમામ પ્રકારની હદ તથા સ્વાર્થથી બહાર લાવી દે છે. તેની સાથે સાધારણ શરીરનો આધાર લઇ એવા દિવ્ય કર્મ કરીને બતાવે છે જેનાથી આત્માઓને અનુભવ થાય છે કે તેઓ ભગવાન શિવ પરમાત્મા છે. સાથે સાથે આત્મા-આત્મા ભાઈ-ભાઈ હોવાનો પણ અનુભવ થાય છે. મનુષ્ય આત્માઓને વિકારી જીવન થી મુક્ત કરાવી દિવ્ય જન્મ આપવાનું, દિવ્ય પાલના કરવાનું તથા જ્ઞાન અને ગુણોથી સજાવી સતયુગી સમૃદ્ધિનો વારસો આપવો એ બધા દિવ્ય કામ પણ કરે છે. આ પ્રકારની ઈશ્વરીય પાલના લેનાર આત્માઓ સતયુગી દુનિયામાં દેવી-દેવતા પદ પ્રાપ્ત કરે છે તથા ગૃહસ્થ આશ્રમની ભાવના નિભાવવાના દિવ્ય સૂત્ર તથા બેહદની ભાવનાઓ પરમપિતા પરમાત્મા પાસેથી સંગમ યુગમાં શીખી લે છે, ધારણ કરી લે છે.

જે ગૃહસ્થ જીવનની આટલી બધી મહિમા કરવામાં આવે છે તેને આશ્રમ અથવા પવિત્ર સ્થાન કહેવામાં આવે છે. આપણા પૂર્વજો દેવી-દેવતાઓ શ્રીલક્ષ્મી- શ્રીનારાયણ તથા તેમની સૂર્યવંશી-ચંદ્રવંશી વંશાવલી આ પ્રકારે ગૃહસ્થાશ્રમમાં જીવતી હતી.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular