Thursday, June 26, 2025
Google search engine
HomeReligion & SpiritualityBrahmakumariઅલૌકિક જીવનમાં પદનો આધાર ભગવાનની યાદ

અલૌકિક જીવનમાં પદનો આધાર ભગવાનની યાદ

સૃષ્ટિ રૂપી નાટકમાં દ્વાપર – કળિયુગમાં મનુષ્ય દેહભાન વશ આત્મા, આત્માના ગુણ તથા ઈશ્વરીય સંબંધોને ભૂલવાથી શ્રાપિત થાય છે. કળિયુગના અંતમાં ભગવાનના અવતરિત થવા પર તેમના દ્વારા પ્રાપ્ત થયેલ ” મનમનાભવ ” ના વરદાનથી મનુષ્ય આ શ્રાપ થી મુક્ત થઈને અડધા કલ્પ માટે સુખના અધિકારી બની જાય છે. આપણે બધા ભગવાન દ્વારા ભાગ્ય પ્રાપ્ત કરીએ છીએ. જેવી રીતે લૌકિક દુનિયામાં હોદ્દાનો આધાર ભણતર છે તેવી જ રીતે અલૌકિક જીવનમાં તેનો આધાર ભગવાનની યાદ છે. જો સ્મૃતિ અતુટ, અખંડ તથા અવ્યભિચારી હશે તો ભાગ્ય શ્રેષ્ઠ બનશે.

સ્મૃતિનો સંબંધ સમર્થી સાથે પણ છે. યોગનો આધાર પણ સ્મૃતિ છે. યોગીને આ યાદના બળથી સર્વ સમર્થીઓ પ્રાપ્ત થઈ જાય છે. આ અંગે ઈશ્વરીય મહાવાક્ય છે – યથાર્થ સ્મૃતિનું પ્રમાણ છે સ્મૃતિ દ્વારા સમર્થી સ્વરૂપ બનવું. દિલમાં, મનમાં, બુદ્ધિમાં સ્મૃતિ આવી કે- “હું બાબાનો બાબા મારા” આ સ્મૃતિ દ્વારા જન્મ સિદ્ધ અધિકારના અધિકારી બન્યા. આ સ્મૃતિ તમામ શક્તિઓની સોનેરી ચાવી છે. આ સ્મૃતિની સમર્થી વિજયી બનાવીને વિજય માળાના નજીકના મણકા બનાવે છે. સમર્થીઓને સ્વરૂપમાં લાવો. જ્યારે પણ કોઈને જોઈએ છે ત્યારે આંખો દ્વારા સમર્થ સ્વરૂપનો અનુભવ થાય. દરેક બોલ દ્વારા બીજા પણ સમર્થ બની જાય. સાધારણ ચલનમાં પણ ફરીસ્તા-પનની સ્મૃતિનું સ્વરૂપ દેખાઈ દે. ડબલ લાઈટનો પોતાને પણ અને બીજાને પણ અનુભવ થાય. ચાલતા-ફરતા સમર્થ સ્વરૂપો બનો, બીજાને પણ સમર્થ બનાવો.

શબ્દકોશમાં “એશ” શબ્દનો અર્થ છે 1) ભોગ-વિલાસ, 2) સુખ-ચૈન, 3) ઈશ્વર સાથે સંબંધ રાખવા વાળા. પરંતુ આજે સમાજમાં જે અર્થમાં આ શબ્દનો પ્રયોગ થઈ રહ્યો છે તેમાં દૂર દૂર સુધી પણ ઈશ્વર સાથેનો સંબંધ નજરમાં નથી આવતો. આજના સંસારની સામે એસો આરામનો અર્થ છે – મોટું મકાન, શરીરને આરામ આપવા વાળા ભૌતિક સાધનો, નોકરો, ગાડી તથા ક્લબ-પાર્ટી-હોટલોમાં, સિનેમા ઘરોમાં આવન-જાવન.

આજનો મનુષ્ય એશની ભ્રામક ધારણામાં એડી થી ચોટી સુધી જકડાયેલો છે, તથા એશના સાધનો એકઠા કરવામાં દિવસ રાત એક કરી રહેલ છે. તે એશો-આરામના સાધનોની પ્રાપ્તિના સપના જોઈ રહેલ છે. જેની પાસે આ સાધનો નથી તેને તે ગરીબ સમજે છે. આવી વ્યક્તિ સાથે મિત્રતા કરવી તે પોતાના લેવલથી નીચે આવી જવાના ભયથી પીડાતો રહે છે.

આજે પોતાનું કાર્ય જાતે કરવા વાળાને સામાન્ય રીતે સાંભળવા મળે છે કે તમે અને આ કાર્ય! આવા નાના-નાના કામો માટે કોઈને રાખી લો અને એશ ફરમાઓ. પોતાના બે પગ રૂપી વાહન પર દોડવા વાળાને પણ સામાન્ય રીતે શિખામણ મળે છે કે એક ગાડી કેમ નથી લઈ લેતા? ક્યાં સુધી પગ ઘસડતા રહેશો? આ તમારા એશ આરામના દિવસો છે. અહીં એ પ્રશ્ન ઉઠે છે કે શું શરીરને આરામ-સુખ આપવા વાળા તમામ સાધનો જ એશ આરામનો આધાર છે કે સાચા એશનો અર્થ કંઈક જુદો છે?

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular