Thursday, June 26, 2025
Google search engine
HomeReligion & SpiritualityBrahmakumariમનની સ્થિતિ મજબૂત કરવા એકાગ્રતાનો અભ્યાસ જરૂરી

મનની સ્થિતિ મજબૂત કરવા એકાગ્રતાનો અભ્યાસ જરૂરી

વર્તમાન સમયે નિરોગી રહેવા માટે વિજ્ઞાનની નવી શોધો તથા રોગો અને મૃત્યુને જીતવા માટે નવા દાવાઓ થતા રહે છે. છતાં અકાળે મૃત્યુ, શારીરિક રોગો તથા વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ તીવ્ર ગતિથી વધી રહી છે. આપણે જાણીએ છીએ કે લાંબા સમયના માનવીય તથા પ્રાકૃતિક કારણોથી વર્તમાનમાં જે સ્થિતિઓ ઉત્પન્ન થઈ છે તેને બદલવી મનુષ્યના હાથમાં ભલે ના હોય પરંતુ તે સ્વયંને તો બદલી જ શકે છે. અધ્યાત્મના માર્ગ પર ચાલવા વાળા પુરુષાર્થીઓ એ વર્તમાનની વિપરીત પરિસ્થિતિઓમાં પોતાની અંદર ચેક કરીને પોતાની મનસ્થિતિને મજબૂત કરી લેવી જોઈએ.

શુભ ચિંતક બની શુભ ભાવના કે માનસિક સેવા દ્વારા બધાને સુખ શાંતિની અનુભૂતિ કરાવવી જોઈએ. સાથે-સાથે એ પણ ચેક કરવું જોઈએ કે જુના કર્મ બંધન કેટલા બાકી રહ્યા છે! આ કર્મ બંધનોની ઓળખાણ ત્રણ બાબતોથી સહજ રીતે થઈ શકે છે.

(1) આપણા સ્વભાવ-સંસ્કારના વિઘ્નોના કારણે સારા માર્ગ પર ઈચ્છા મુજબ આગળ નથી વધી શકતા.

(2) કોઈ મનુષ્યના સંગ કે સંપર્કના કારણે તેના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ વિઘ્નોને કારણે હિંમત ઉલ્લાસ હોવા છતાં પણ પોતાની જાતને પરવશ અનુભવ કરીએ છીએ.

(3) કોઈપણ પ્રકારનું વાતાવરણ પ્રભાવિત કરીને ઉડતી કલાની પાંખોને કાપી નાંખે છે તો આ પણ થયું કર્મ બંધન. આ બધાથી મુક્ત થવા માટે દરરોજ ઓછામાં ઓછો 04 કલાક જો એકાગ્રતાનો અભ્યાસ કરવામાં આવે તો ઈચ્છીત ફળની પ્રાપ્તિ કરી શકીએ છીએ.

મનુષ્યનું મન કુદરતી આપેલ એક એવી સત્તા છે કે જે કોઈપણ વિચાર પર મહા મહેનતે બે સેકન્ડ માટે જ ટકી શકે છે. બે સેકન્ડ પછી તે કુદીને બીજા-ત્રીજા વિચાર પર પહોંચી જાય છે. મનની આ સ્થિતિના કારણે ઘણા દ્રશ્યો મનના પડદા પર નોંધાઈ જાય છે. પરંતુ તે દ્રશ્યમાંથી ટકતું એક પણ નથી. આના પરિણામે મનુષ્ય કોઈ એક વિષય પર મનન-ચિંતન નથી કરી શકતો.

માનીલો કે દૂરદર્શન પર એક દ્રશ્ય સેકન્ડ માટે દેખાય અને બે-બે સેકન્ડ બાદ નવા-નવા દ્રશ્ય આવતા રહે તો જોવા વાળો વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે. મનનો પડદો પણ એક આંતરિક દુરદર્શન છે. જેના પર મનુષ્યના વિવિધ વિચારો થી બનેલ દ્રશ્ય નિરંતર બદલાતા રહે છે. ઉદાહરણ માટે- એક ઓફિસનો અધિકારી પોતાની સામે એક ફાઈલ ખોલે છે જેમાં રામચંદ્ર નામના વ્યક્તિનો ઉલ્લેખ જુએ છે. આ નામ વાંચતા જ તેમને ખ્યાલમાં આવે છે કે ગઈકાલે તેમના ઘેર જે સંબંધી આવ્યા હતા તેમાં પણ એક રામચંદ્ર નામની એક વ્યક્તિ હતી. ત્યાર બાદ તે સંબંધી દ્વારા કહેલ એક વાત યાદ આવી કે એક બાળક રમતા રમતા પડી ગયો અને પગનું હાડકું તૂટી ગયું.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular