Thursday, June 26, 2025
Google search engine
HomeReligion & SpiritualityBrahmakumariબ્રહ્મચર્ય: દિવ્યતાનો માર્ગ

બ્રહ્મચર્ય: દિવ્યતાનો માર્ગ

પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માએ સાફ સ્વચ્છ પાવન વ્યક્તિત્વ બનાવવા માટે ઈશ્વરીય જ્ઞાન તથા રાજયોગ દ્વારા વિવિધ વિકારો થી મૂર્છિત રાજા સાગરના તમામ વીરપુત્રોને જગાડી દીધા. આ આધ્યાત્મિક ક્રાંતિના બીજ જ્યારે બાળ મનમાં પ્રગટે ત્યારે તેમનામાં ધ્રુવ તથા પ્રહ્લાદની જેમ શ્રેષ્ઠ કાર્ય પ્રત્યે અડોલતા તથા નિશ્ચય આવી ગયો. યુવકોએ સનતકુમાર જેવા, કન્યાઓએ કલ્યાણી તથા માતાઓએ સરસ્વતી-અનસોયા જેવા બનવા બનવાનું લક્ષ રાખ્યું. વૃદ્ધોના ચહેરા પર તેજ દેખાવા લાગ્યું.

સંસારમાં અનેક પિતાઓ આવ્યા, ધર્મ સ્થાપન થયા પરંતુ સ્ત્રીઓની બેડીઓ તોડી તેને સ્વમાનના સિંહાસન પર બેસાડ્યા નહીં. માતાઓની આધ્યાત્મિક શક્તિઓને ઓળખી કોઈ એ તેમને વિશ્વ સેવા માટે નિમિત્ત ન બનાવ્યા. જ્યારે પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માએ સંસાર સામે આઠમી અજાયબી રજુ કરી. લોકો કહે છે કે બે-ચાર માતાઓ એક સાથે રહી ન શકે. જ્યારે પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માએ આ કરી બતાવ્યું. જેને પગની જુતી સમજતા હતા તે નારીને જગત કલ્યાણ જગતનું કલ્યાણ કરવા વાળી જગત માતા બનાવી દીધી.

સ્વામી વિવેકાનંદ એ પડકાર ફેંક્યો હતો કે મને જો ફક્ત 100 બ્રહ્મચારી મળી જાય તો હું સૃષ્ટિ પર સ્વર્ગ લાવી દઈશ. પરંતુ તેમના જીવનકાળ દરમિયાન આ લલકાર સ્વપ્ન સમાન બની રહ્યો. પરંતુ પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માએ નિમિત બનીને જે ક્રાંતિની શરૂઆત કરી તે અદ્વિતીય છે. અહીં વ્યસન મુક્ત, ચરિત્રવાન તથા બ્રહ્મચારી યુવકો રૂપી હંસોની મોટી લાઈન છે. આ પ્રકારના યુવકોની સંખ્યા એક લાખ થી પણ વધુ છે. આ પ્રકારનું ક્રાંતિકારી પગલું યુવકોએ કોઈ ઘરબારનો ત્યાગ કરીને નહીં પરંતુ પરિવારોની સાથે રહીને કરી બતાવેલ છે.

 

આ યુવકોમાંથી ઘણાએ લગ્ન કરેલા છે. પત્ની સાથે રહેવા છતાં તેઓ પવિત્રતાનું પાલન કરે છે. તથા ઘણા યુવકોએ લગ્ન કરેલ નથી. જેઓ પોતાના માતા-પિતા કે સંબંધીઓ સાથે રહે છે. તેઓ વિભિન્ન વ્યવસાયોમાં કાર્યરત હોવા છતાં સમાજમાં રહીને કમળફુલ સમાન પવિત્ર જીવન જીવે છે. આબુમાં તાજેતરમાં જ આયોજિત એક આધ્યાત્મિક સંમેલનમાં કરનાલથી પધારેલ સરદાર નરૂલાજીએ આ સંસ્થા સાથે પોતાના સંપર્કના એક સુંદર પ્રસંગનું વર્ણન કર્યું.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular