Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsભારત આજે ઝિમ્બાબ્વે સામે બદલો લેવા ઉતરશે મેદાનમાં

ભારત આજે ઝિમ્બાબ્વે સામે બદલો લેવા ઉતરશે મેદાનમાં

2024 T20 વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેમાં પાંચ મેચની T20 શ્રેણી રમી રહી છે. જોકે, આ ટીમમાં ચેમ્પિયન ટીમના કોઈ ખેલાડી નથી. BCCIએ શુભમન ગિલના નેતૃત્વમાં ખૂબ જ યુવા ખેલાડીઓથી સજ્જ ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વે મોકલી છે. ભારતીય ટીમને શ્રેણીની પ્રથમ T20માં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બંને વચ્ચે આજે બીજી T20 મેચ રમાશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી T20 મેચ પણ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. ટીમ ઈન્ડિયા પાંચ મેચની શ્રેણીમાં 0-1થી પાછળ છે. ભારતીય સમય અનુસાર આ મેચનો ટોસ સાંજે 4 વાગ્યે થશે, જ્યારે મેચ 4:30 વાગ્યે શરૂ થશે.

 

પ્રથમ T20માં ભારતની હાર

ઉલ્લેખનીય છે કે શુભમન ગીલના નેતૃત્વમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાને 13 રને હરાવ્યું હતું. IPL 2024માં શાનદાર પ્રદર્શન કરનારા ઘણા ખેલાડીઓ આ ટીમમાં રમી રહ્યા છે. શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, ખલીલ અહેમદ અને અવેશ ખાન જેવા ખેલાડીઓ પણ આ ટીમનો ભાગ છે. પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ પ્રથમ રમત રમીને માત્ર 115 રન બનાવ્યા હતા. જવાબમાં યંગ ટીમ ઈન્ડિયા માત્ર 102 રનમાં સમેટાઈ ગઈ હતી.

ભલે ભારત પ્રથમ T20માં હારી ગયું હોય, પણ કેપ્ટન શુભમન ગિલ બીજી T20માં કોઈપણ ફેરફાર કર્યા વગર પ્રવેશ કરી શકે છે. કોઈપણ રીતે હાર પછી અચાનક ફેરફારો કરવા યોગ્ય નથી. જો કે, એમ કહેવું ખોટું નહીં હોય કે રિયાન પરાગ, ધ્રુવ જુરેલ અને ખલીલ અહેમદ જેવા ખેલાડીઓનો આજે લિટમસ ટેસ્ટ થશે.

બીજી T20માં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન – શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રુતુરાજ ગાયકવાડ, રેયાન પરાગ, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ અને મુકેશ કુમાર.

બીજી T20માં ઝિમ્બાબ્વેની સંભવિત પ્લેઈંગ ઈલેવન – વેસ્લી માધવેરે, ઈનોસન્ટ કૈયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મડાન્ડે (વિકેટકીપર), વેલિંગ્ટન મસાકાડઝા, લ્યુક જોંગવે, બ્લેસિંગ મુઝારાબાની.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular