Saturday, July 5, 2025
Google search engine
HomeNewsNationalયોગી કેબિનેટનું વિસ્તરણ : 4 નવા મંત્રીઓએ લીધા શપથ

યોગી કેબિનેટનું વિસ્તરણ : 4 નવા મંત્રીઓએ લીધા શપથ

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ કેબિનેટ વિસ્તરણ માટે ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ હતી. રાજ્યપાલ આનંદી બેન પટેલે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓપી રાજભરને શપથ લેવડાવ્યા હતા. આ સિવાય બીજેપી એમએલસી દારા સિંહ ચૌહાણે પણ મંત્રી પદના શપથ લીધા છે.

યોગી કેબિનેટમાં શપથ લેનારા ત્રીજા ધારાસભ્યનું નામ અનિલ કુમાર છે, જેઓ રાષ્ટ્રીય લોકદળ તરફથી પુરકાજી બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓ ત્રણ વખત ધારાસભ્ય છે અને જયંત ચૌધરીના નજીકના માનવામાં આવે છે. આ સિવાય સાહિબાબાદના ધારાસભ્ય સુનીલ શર્માએ પણ મંત્રી પદના શપથ લીધા છે. સુનીલ શર્માની ગણતરી યુપીના મોટા બ્રાહ્મણ ચહેરાઓમાં થાય છે. 2022માં તેમને સૌથી વધુ મતોથી જીતનારા ધારાસભ્યોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ સાહિબાબાદથી ત્રણ વખત ધારાસભ્ય ચૂંટાયા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular