Friday, May 16, 2025
Google search engine
HomeNewsNational'આત્મહત્યા નિવારણ દિવસ’: રાજ્યમાં 3 વર્ષમાં 10 ટકાનો વધારો

‘આત્મહત્યા નિવારણ દિવસ’: રાજ્યમાં 3 વર્ષમાં 10 ટકાનો વધારો

ગાંધીનગર: આજકાલ લોકો ડિપ્રેશનનો શિકાર વધુ બનતા હોય છે. તેનું મુખ્ય કારણ તો આર્થિક સમસ્યા જ હોય છે આ સિવાય શારીરિક કે માનસિક સમસ્યાઓના કારણે પણ લોકો ડિપ્રેશનનો શિકાર બને છે. ત્યારબાદ આત્મહત્યાને અંતિમ પગલાં તરીકે સ્વીકારતા હોય છે. જો કે  જીવન ટૂંકાવવવું તે કોઇ સમસ્યાનો ઉકેલ નથી. ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં કુલ 25,841 વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. આમ, પ્રતિ દિવસ સરેરાશ 25 વ્યક્તિ આત્મહત્યા કરે છે. 10મી સપ્ટેમ્બર એટલે ‘આત્મહત્યા નિવારણ દિવસ’.  ત્યારે આજના સમયે આત્મહત્યાનું વધતું પ્રમાણ એ ચિંતાનો વિષય છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્‌સ બ્યુરોના અહેવાલ અનુસાર ગુજરાતમાં વર્ષ 2020માં 8050, 2021માં 8789 અને 2022માં 9002 વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનારા લોકોની સંખ્યામાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. 2020 કરતાં 2022માં આત્મહત્યા કરનારાનું પ્રમાણ 10 ટકાથી વધારે હતું. વર્ષ 2022માં પારિવારિક સમસ્યાને કારણે સૌથી વધુ 2285, બીમારીને કારણે 1747, લગ્નને કારણે 367 વ્યક્તિએ આત્મહત્યા કરેલી છે. આત્મહત્યા કરવામાં હાઉસવાઇફનું પ્રમાણ સૌથી વધુ 1761 છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular