Saturday, June 7, 2025
Google search engine
HomeNewsNationalવકફ બિલમાં થશે 572 સંશોધન?: JPCના સભ્યોનાં સૂચનો

વકફ બિલમાં થશે 572 સંશોધન?: JPCના સભ્યોનાં સૂચનો

નવી દિલ્હીઃ વકફ સંશોધન બિલ પર સંસદીય સમિતિના સભ્યોએ 572 સંશોધનોનું સૂચન કર્યું છે. સમિતિની સુનાવણીના અંતિમ તબક્કામાં પહોંચવા પર રવિવારે મોડી રાત્રે ભાજપના નેતા જગદંબિકા પાલની અધ્યક્ષતામાં વકફ સંશોધન બિલ પર સંયુક્ત સમિતિ દ્વારા સંસોધનોની સૂચિ જારી કરવામાં આવી છે. સમિતિ સોમવારની બેઠકમાં ખંડવાર સંસોધનો પર ચર્ચા કરશે.

ભાજપ અને વિપક્ષના સભ્યોએ બિલ પર સંશોધન રજૂ કર્યા છે. વકફ સંશોધન બિલ, 2024નો ઉદ્દેશ વકફ અધિનિયમ, 1995માં સંશોધન કરવાનું છે. વકફ સંપત્તિઓનો વહીવટ અને સંચાલનમાં સુધારો થઈ શકે. વકફ સંપત્તિઓ દેશમાં મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને ચેરિટેબલ ઉદ્દેશો માટે આપવામાં આવેલી સંપત્તિઓ હોય છે. અને એનો વહીવટ વકફ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. આ બિલમાં પ્રસ્તાવિત ફેરફારો દ્વારા વકફ સંપત્તિઓના વહીવટને પારદર્શી, સંગઠિત અને અસરકારક બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

વકફ બિલ કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી કિરણ રિજિજુ દ્વારા આઠ ઓગસ્ટે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું હતું.આ બિલનો ઉદ્દેશ વકફ કાયદામાં 1995માં સંશોધન કરવાનું છે.

વક્ફ સુધારા બિલ પર જેપીસી 27 અથવા 28 જાન્યુઆરીએ લોકસભા સ્પીકરને પોતાનો રિપોર્ટ સુપરત કરી શકે છે. લોકસભા સ્પીકરની મંજૂરી બાદ આગામી બજેટ સત્રમાં રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવશે. વકફ સુધારા વિધેયક પર જેપીસી રિપોર્ટના ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે સતત બે દિવસ જેપીસીની બેઠક બોલાવવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular