Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentઈન્ડિયન આર્મી પર એવું તો શું બોલી અભિનેત્રી? લોકોએ બૉયકૉટની કરી માંગ

ઈન્ડિયન આર્મી પર એવું તો શું બોલી અભિનેત્રી? લોકોએ બૉયકૉટની કરી માંગ

મુંબઈ: સાઈ પલ્લવી નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે, જેમાં તે માતા સીતાનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મ બાદ અભિનેત્રી ચર્ચામાં છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી તે તેની કોઈ ફિલ્મને કારણે નહીં પરંતુ તેના એક નિવેદનના કારણે હેડલાઈન્સમાં આવી છે. તેનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે, જેના પછી તેને સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય સેના પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. બોયકોટ સાઈ પલ્લવી X પર ટ્રેન્ડ કરી રહ્યુ છે.

સાઈ પલ્લવીના નિવેદનથી લોકો ગુસ્સે થયા

સાઈ પલ્લવીએ શું કહ્યું જેનાથી લોકો ગુસ્સે થયા ? અને તેઓ સાઈ પલ્લવીનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી ક્લિપ જેણે વિવાદને વેગ આપ્યો છે તે જાન્યુઆરી 2022ના ઈન્ટરવ્યુની છે. સાઈ પલ્લવી જે કહેતી હતી તેનો સાર એ હતો કે આપણે હિંસાના મુદ્દાને સમજવામાં નિષ્ફળ ગયા છીએ. વાયરલ વીડિયોમાં તેને કહેતા સાંભળી શકાય છે કે’પાકિસ્તાનના લોકો માને છે કે આપણી સેના આતંકવાદી જૂથ છે, પરંતુ આપણા માટે તેમની સેના એવી છે. તેથી, દ્રષ્ટિકોણ બદલાય છે. હું હિંસાને સમજી શકતી નથી.’

વિવાદો વચ્ચે કરવામાં આવેલ પ્રથમ પોસ્ટ

તાજેતરમાં સાઈ પલ્લવીએ ભારતીય સેના પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નેશનલ વોર મેમોરિયલની મુલાકાત લીધી હતી. વિવાદો વચ્ચે અભિનેત્રીએ ફરી પોતાની પહેલી પોસ્ટ શેર કરીને હલચલ મચાવી દીધી છે. તસવીરમાં તે મેજર મુકુંદ વરદરાજન AC (P) અને કોન્સ્ટેબલ વિક્રમ સિંહ SC (P) ને શ્રદ્ધાંજલિ આપતા જોઈ શકાય છે. ફિલ્મ ‘અમરન’ મેજર મુકુંદ વરદરાજનના જીવન પર આધારિત છે. સાઈ પલ્લવી ઉપરાંત રાજકુમાર પેરિયાસામી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શિવકાર્તિકેયન છે જે મેજર મુકુંદની ભૂમિકામાં જોવા મળશે.

અભિનેત્રી મોટા બજેટની ફિલ્મોથી ધૂમ મચાવશે

સાઈ પલ્લવી તેની કારકિર્દીના ગ્રાફમાં ખૂબ જ ઊંચા શિખરે પહોંચી ગઈ છે. આ દિવસોમાં અભિનેત્રી ઘણા મોટા બેનર હેઠળ બની રહેલી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની તમિલ ફિલ્મ ‘અમરન’ પણ 31 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. સાઈ ટૂંક સમયમાં આવતા વર્ષે નાગા ચૈતન્ય સાથે અખિલ ભારતીય પ્રોજેક્ટ ‘થાંડેલ’માં પણ જોવા મળશે. જોકે, રણબીર કપૂર સાથે નિતેશ તિવારીની ‘રામાયણ’માં સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular