Saturday, June 28, 2025
Google search engine
HomeNewsNationalકોણ છે સોનમ વાંગચુક, દિલ્હી પોલીસે કેમ 150 લોકોને કર્યા ડિટેન?

કોણ છે સોનમ વાંગચુક, દિલ્હી પોલીસે કેમ 150 લોકોને કર્યા ડિટેન?

લદ્દાખને પૂર્ણ રાજ્ય માનવાની માગ સાથે સોનમ વાંગચુક સહિત લગભગ 150 લોરો મંગળવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. લદ્દાખથી લગભગ 700 કિલોમીટરનું કૂચ કરીને દિલ્હી પહોંચેલા ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક સહિત 150 લોકોની અટકાયત કરવામાં આવી હતી. અટકાય બાદ તેમણે દિલ્હીના વાંગચુક પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે અનિશ્ચિત સમય માટે અનસન શરૂ કર્યા. પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાંગચુક દિલ્હી બોર્ડર પર રાત વિતાવવા માંગતા હતા. જ્યારે કૂચ કરી રહેલા લોકોને પાછા જવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ આંદોલન કારીની અસહેમતી મળતા પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

શું છે મામલો ?

5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને પૂર્ણ રાજ્યનો દરજ્જો ખતમ કરી દીધો હતો. આ પછી જમ્મુ અને કાશ્મીર અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું. જ્યારે લેહ અને કારગીલને જોડીને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું. જે બાદ લેહ અને કારગીલના લોકો રાજકીય રીતે નિરાશા અનુભવવા લાગ્યા. તેમણે કેન્દ્ર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ છેલ્લા 4 વર્ષથી લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. આ સંદર્ભે, એક મહિના પહેલા લગભગ 150 લોકો લેહથી દિલ્હીમાં બાપુની સમાધિ સ્થળ સુધી પદયાત્રા કરી રહ્યા હતા. મંગળવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે તેમને રોક્યા હતા. પાછલા બે વર્ષમાં પૂર્ણ રાજ્યના દરજ્જા અને બંધારણીય સુરક્ષાની માગ સાથે અનેક વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. કેન્દ્રએ માંગણીઓ પર વિચાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. જોકે, વિરોધીઓ સાથે વાતચીત સફળ થઈ ન હતી. 4 માર્ચના કેન્દ્રય ગૃહ મંત્રી અમિત શાહ સાથેની વાતચીતમાં જાણવા મળ્યુ કે સરકાર તેમની માગનો અસ્વીકાર કર્યો છે. જેના બે દિવસ પછી વાંગચુકે લેહમાં ઉપવાસ શરૂ કર્યા.

કોણ છે સોનમ વાંગચુક?

સોનમ વાંગચુક એક એજ્યુકેશનિસ્ટ અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ છે. જેમનો જન્મ 1 સપ્ટેમ્બર 1966ના રોજ લદ્દાખના અલ્ચીમાં થયો હતો. તેઓ સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL)ના સ્થાપક-નિર્દેશક છે. 1993 થી 2005 સુધી વાંગચુકે લદ્દાખના એકમાત્ર મુદ્રિત મેગેઝિન લેન્ડેગ્સ મેલોગની સ્થાપના કરી અને તેના સંપાદક તરીકે સેવા આપી. સોનમ SECMOL કોમ્પ્લેક્સ ડિઝાઇન કરવા માટે પણ જાણીતી છે જે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલે છે અને રસોઈ, લાઇટિંગ અથવા હીટિંગ માટે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ કરતી નથી. સરકારી શાળા પ્રણાલીમાં સુધારા માટે સરકાર, ગ્રામીણ સમુદાયો અને નાગરિક સમાજના સહયોગથી 1994માં “ઓપરેશન ન્યુ હોપ” શરૂ કરવાનો શ્રેય પણ સોનમ વાંગચુકને મળ્યો છે. સોનમ વાંગચુકને 2017માં ગ્લોબલ એવોર્ડ ફોર સસ્ટેનેબલ આર્કિટક્ચર પણ મળ્યો છે.

વાંગચુકે કરેલા આંદોલન

વાંગચુકે તેની અટકાયત પછી X પર એક પોસ્ટ શેર કરી. જેમાં તેણે કહ્યું- મને દિલ્હીની બોર્ડર પર અટકાયતમાં લેવામાં આવ્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે અહીં 1,000 પોલીસકર્મીઓ છે. અમારી સાથે ઘણા વડીલો છે. આપણા નસીબમાં શું લખ્યું છે તેની આપણને ખબર નથી. અમે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને લોકશાહીની માતામાં બાપુની સમાધિ સુધી શાંતિપૂર્ણ કૂચ પર હતા. હે રામ.

આ આગાઉ પણ માર્ચ 2024માં સોનમે 21 દિવસની ભૂખ હડતાલ કરી હતી. ભૂખ હડતાલ ખતમ કર્યા બાદ સોનમ વાંગચુકે કહ્યું હતું – આ આંદોલનનો અંત નથી, પરંતુ એક નવી શરૂઆત છે. જ્યાં સુધી અમારે અમારી માંગણીઓ માટે આંદોલન કરવું પડશે, અમે તેમ કરીશું.

વિપક્ષની પ્રતિક્રીયા

દિલ્હીના સીએમ આતિશીએ કહ્યું છે કે તે જલ્દી જ સોનમ વાંગચુકને મળવા જશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું- મોદીજી, કિસાન બિલની જેમ આ ચક્રવ્યુહ અને તમારો અહંકાર પણ તૂટી જશે. તમારે લદ્દાખનો અવાજ સાંભળવો પડશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular