Friday, July 25, 2025
Google search engine
HomeNewsInternationalભારતે માનવાધિકાર અંગેના યુએસ રિપોર્ટને નકારી કાઢ્યો

ભારતે માનવાધિકાર અંગેના યુએસ રિપોર્ટને નકારી કાઢ્યો

ભારતે ગુરુવારે કથિત માનવાધિકાર ઉલ્લંઘન અંગેના યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અહેવાલને નકારી કાઢ્યો હતો. અમેરિકાએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે મણિપુરમાં જાતિય હિંસા ફેલાયા બાદ રાજ્યમાં માનવાધિકારનું વ્યાપક ઉલ્લંઘન થયું છે. આ સિવાય રિપોર્ટમાં બીબીસી ઓફિસ પર ઈન્કમટેક્સ અધિકારીઓના દરોડા અને રાહુલ ગાંધી સાથે જોડાયેલા એક કેસનો પણ ઉલ્લેખ છે.

 

ભારતે અમેરિકાના અહેવાલને નકારી કાઢ્યો હતો

ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના અહેવાલને પક્ષપાતી ગણાવીને સદંતર ફગાવી દીધો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોલંબિયા યુનિવર્સિટી અને અમેરિકાની અન્ય યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન અંગે રણધીર જયસ્વાલે કહ્યું કે અમે અહેવાલો જોયા છે અને અમે સંબંધિત ઘટનાઓ પર નજર રાખી રહ્યા છીએ. દરેક લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા, જવાબદારીની ભાવના અને જાહેર સુરક્ષા અને વ્યવસ્થા વચ્ચે યોગ્ય સંતુલન હોવું જોઈએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular