Saturday, June 28, 2025
Google search engine
HomeNewsInternationalકોણ છે અર્થશાસ્ત્રમાં નોબલ પારિતોષિક-2024 મેળવનાર ત્રણ અર્થશાસ્ત્રી?

કોણ છે અર્થશાસ્ત્રમાં નોબલ પારિતોષિક-2024 મેળવનાર ત્રણ અર્થશાસ્ત્રી?

રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે 2024 માટે અર્થશાસ્ત્રમાં નોબેલ મેમોરિયલ પુરસ્કારની જાહેરાત કરી છે. આ પુરસ્કારો ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ એ. રોબિન્સનને આપવામાં આવશે. તેમને આ પુરસ્કાર બે રાષ્ટ્રો વચ્ચેની સમૃદ્ધિમાં તફાવત પરના તેમના સંશોધન માટે આપવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સની નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે ત્રણેય અર્થશાસ્ત્રીઓએ ‘દેશની સમૃદ્ધિ માટે સામાજિક સંસ્થાઓનું મહત્વ દર્શાવતું સંશોધન તૈયાર કર્યું છે.નોબેલ કમિટીનું કહેવું છે કે ‘કાયદાનું ખરાબ શાસન અને વસ્તીનું શોષણ કરતી સંસ્થાઓવાળા સમજોમાં વિકાસ કે વધુ સારું પરિવર્તન થતું નથી. પુરસ્કાર વિજેતાઓનું સંશોધનથી આપણને એ વાત સમજવામાં મદદ મળે છે કે આવું શા માટે આવું થાય છે.ત્રણ અર્થશાસ્ત્રીઓ શું કરે છે?ડેરોન એસેમોગ્લુ અને સિમોન જોન્સન મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં કામ કરે છે. જ્યારે જેમ્સ એ. રોબિન્સન શિકાગો યુનિવર્સિટીમાં સંશોધનકર્તા કરે છે. શા માટે અમીર અને ગરીબ વચ્ચે તફાવત છે?
વિશ્વના સૌથી અમીર 20 ટકા દેશો હવે સૌથી ગરીબ 20 ટકા કરતાં લગભગ 30 ગણા અમીર છે. સૌથી અમીર અને ગરીબ દેશો વચ્ચેની આવકનો તફાવત પણ સતત વધી રહ્યો છે. જો કે સૌથી ગરીબ દેશો અમીર બની ગયા છે, પરંતુ તેઓ સૌથી અમીર દેશો સુધી પહોંચવામાં સક્ષમ નથી. આખરે શા માટે? આ વર્ષના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિક વિજેતાઓને આ સતત ગેપ કેમ થઈ રહી છે તે માટેના એક સંશોધનમાં નવા અને નક્કર પુરાવા રજૂ કર્યા છે, આ સંશોધનનું નામ છે, ‘સમાજની સંસ્થાઓમાં તફાવત.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular