Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNational'અફવાઓ પર ધ્યાન ન આપો, જે ઘાટ પર હોવ ત્યાં સ્નાન કરો..':...

‘અફવાઓ પર ધ્યાન ન આપો, જે ઘાટ પર હોવ ત્યાં સ્નાન કરો..’: CM યોગી

પ્રયાગરાજ: મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે ગત રાત્રિએ નાસભાગની ભયંકર ઘટના બની હતી જેમાં 10થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓને મહત્ત્વપૂર્ણ અપીલ કરી હતી.

શું કહ્યું યોગીએ? 

સીએમ યોગીએ એક ટ્વિટ કરતાં કહ્યું કે શ્રદ્ધાળુઓને મારો અનુરોધ છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને તંત્ર દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરે. મા ગંગાના દરેક ઘાટને સ્નાન માટે વ્યવસ્થિત કરવામાં આવ્યા છે એટલા માટે શ્રદ્ધાળુઓ જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરે અને સંગમ જવાનો પ્રયાસ ન કરે.

અનેક લોકો નાસભાગમાં કચડાયા

સીએમ યોગીએ કહ્યું કે સરકાર અને વહીવટીતંત્ર તરફથી તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી સ્નાનનું આ પાવન અવસર સુગમ અને સુરક્ષિત રીતે પૂર્ણ થઇ શકે. ઉલ્લેખનીય છે કે મૌની અમાસના અવસરે બીજા અમૃત સ્નાન વખતે સંગમ પર ભીડ ઉમટતાં મંગળ-બુધની રાત્રિએ નાસભાગ મચી ગઈ હતી અને જેમાં અનેક લોકો કચડાઈ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ઘવાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular