Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsEntertainmentટીવી અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતનું 32 વર્ષની વયે અવસાન

ટીવી અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતનું 32 વર્ષની વયે અવસાન

ટીવી એક્ટર આદિત્ય સિંહ રાજપૂત વિશે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સ્પ્લિટ્સવિલા ફેમ એક્ટર આદિત્ય સિંહનું નિધન થયું છે. આદિત્યને તેના મિત્ર અંધેરીના ઘરેથી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો.

આદિત્ય સિંહ મોડલિંગ અને કાસ્ટિંગ ડિરેક્ટર હતા

MTV સ્ટાર જાણીતા અભિનેતા, મોડલ અને કાસ્ટિંગ ડિરેક્ટર હતા. આદિત્ય સિંહ રાજપૂતના મૃત્યુના સમાચારથી તેના ચાહકો પણ આઘાતમાં છે. અહેવાલો અનુસાર, આદિત્ય સોમવારે બપોરે તેના અંધેરીના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આદિત્યના એક મિત્રને આ વાતની સૌથી પહેલા ખબર પડી. અભિનેતાનું ઘર બિલ્ડિંગના 11મા માળે છે જ્યાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. અભિનેતાના મૃત્યુની માહિતી મળ્યા પછી, તેના મિત્ર અને બિલ્ડિંગના ચોકીદારની મદદથી, તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કર્યો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular