Thursday, May 29, 2025
Google search engine
HomeNewsNationalPM મોદી 11 ફેબ્રુઆરીએ ત્રિપુરામાં ગર્જના કરશે

PM મોદી 11 ફેબ્રુઆરીએ ત્રિપુરામાં ગર્જના કરશે

ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ફેબ્રુઆરીએ ત્રિપુરા જશે. વડાપ્રધાન ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે બે ચૂંટણી સભાઓને સંબોધશે. આ ચૂંટણી સભા ત્રિપુરાના ગોમતી અને ધલાઈ ખાતે યોજાશે. ત્રિપુરાની 60 સભ્યોની વિધાનસભા માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે.

બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. આદિત્યનાથ ઉત્તર ત્રિપુરા જિલ્લાના બાગબાસા અને ખોવાઈના કલ્યાણપુરમાં બે રેલીઓ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે સોમવારે ત્રિપુરામાં બે રેલીઓ અને રોડ શો કર્યા હતા. શાહે ત્રિપુરા જિલ્લાના સંતીર બજારમાં જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ અને ડાબેરીઓ ઉપરાંત, ત્રિપુરાના રાજવી પ્રદ્યોત માણિક્ય દેબબર્માની આગેવાની હેઠળની ટીપ્રા મોથા પાર્ટી પણ કેન્દ્રીય ગૃહ પ્રધાનના નિશાના પર હતી.

16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે

ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ 60 સીટો પર ચૂંટણી યોજાવાની છે. જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ત્રણેય રાજ્યોની મતગણતરી એકસાથે 2 માર્ચે થશે. ભાજપે 55 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે બાકીની પાંચ બેઠકો તેના ગઠબંધન, ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT) માટે છોડી છે. ડાબેરી-કોંગ્રેસ ગઠબંધને પણ તમામ 60 બેઠકો માટે તેના ઉમેદવારો જાહેર કર્યા છે. 60 બેઠકોમાંથી 43 બેઠકો પર સીપીઆઈ(એમ), 13 પર કોંગ્રેસ, એક પર સીપીઆઈ, એક બેઠક પર આરએસપી અને એક પર ફોરવર્ડ બ્લોક જ્યારે એક બેઠક પર એક ઉમેદવાર ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular