Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યમાં 55 મામલતદારોની બદલી,162 નાયબ મામલતદારને પ્રમોશન

રાજ્યમાં 55 મામલતદારોની બદલી,162 નાયબ મામલતદારને પ્રમોશન

રાજ્યના રેવન્યૂ વિભાગમાં પણ ગઈકાલે અચાનક 55 મામલતદારની બદલીના આદેશ છૂટ્યા હતાં. તે ઉપરાંત 162 જેટલા નાયબ મામલતદારોને પ્રમોશન આપવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. સરકારના વિભાગ દ્વારા સાગમટે બદલીના આદેશ થતાં ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે. સરકારના સબંધિત વિભાગ દ્વારા મોડી રાત્રે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. જેમાં વર્ગ-2 ના 55 મામલતદારોની બદલી કરી નાખવામાં આવી છે. જ્યારે 161 નાયબ મામલતદાર (વર્ગ-3) ના અધિકારીઓને મામલતદાર (વર્ગ-2) ની બઢતી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલાં જ અધિકારીઓને પ્રમોશન અને બદલીના નિર્ણયો થતાં ચારેકોર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

જુઓ સમગ્ર યાદી

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular