Friday, June 6, 2025
Google search engine
HomeNewsNationalતિરુપતિ લાડુ વિવાદ: આંધ્રપ્રદેશ સરકારે રોકી SIT તપાસ

તિરુપતિ લાડુ વિવાદ: આંધ્રપ્રદેશ સરકારે રોકી SIT તપાસ

આંધ્રપ્રદેશ સરકારે તિરુપતિ લાડુ બનાવવામાં વપરાતા ઘીમાં કથિત ભેળસેળની તપાસને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસને 3 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી સુધી અટકાવી દીધી છે.


આંધ્ર પોલીસના ટોચના અધિકારી દ્વારકા તિરુમાલા રાવે જણાવ્યું હતું કે તપાસની પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને ધ્યાનમાં રાખીને અમે હાલ માટે તપાસ અટકાવી દીધી છે. અમારી ટીમે અનેક સ્થળોનું નિરીક્ષણ કર્યું છે, કેટલાક લોકોના નિવેદનો નોંધ્યા છે અને આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

SITએ લોટ મિલની તપાસ કરી

સોમવારે, એસઆઈટીએ તિરુમાલામાં લોટ મિલનું નિરીક્ષણ કર્યું, જ્યાં લાડુ બનાવવામાં ઉપયોગમાં લેવાતા પહેલા ઘીનો સંગ્રહ કરવામાં આવે છે, જે દર વર્ષે પહાડી મંદિરની મુલાકાત લેનારા લાખો ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular