Friday, June 13, 2025
Google search engine
HomeNewsNationalસુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણી સંસ્કૃતિ છે કે કોઈએ ભૂખ્યા સૂવું ન...

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણી સંસ્કૃતિ છે કે કોઈએ ભૂખ્યા સૂવું ન જોઈએ

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે અમારી સંસ્કૃતિ છે કે કોઈએ ભૂખ્યા સૂવું ન જોઈએ. કોર્ટે કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFFS) હેઠળ દરેક વ્યક્તિ સુધી અનાજ પહોંચે તેની ખાતરી કરવા પણ કહ્યું હતું. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ હિમા કોહલીની બેંચે કેન્દ્રને ઇશરામ પોર્ટલ પર નોંધાયેલા સ્થળાંતરિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારોની સંખ્યા સાથેનું નવેસરથી ટેબલ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Gujarat corona
 

બેન્ચે કહ્યું, “NFSA હેઠળ અનાજ છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. અમે એમ નથી કહી રહ્યા કે કેન્દ્ર કંઈ કરી રહ્યું નથી. કેન્દ્ર સરકારે કોવિડ દરમિયાન લોકોને અનાજ પૂરું પાડ્યું છે. આપણે એ પણ જોવું પડશે કે તે ચાલુ રહે. આપણી સંસ્કૃતિ છે કે ખાલી પેટે કોઈ સુતું નથી. બેંચ કોવિડ રોગચાળા અને ત્યારપછીના લોકડાઉન દરમિયાન સ્થળાંતર કામદારોની સ્થિતિ સાથે સંબંધિત જાહેર હિતના મુદ્દાની સુનાવણી કરી રહી હતી.

સામાજિક કાર્યકર્તા અંજલિ ભારદ્વાજ, હર્ષ મંડેર અને જગદીપ છોકર તરફથી વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે 2011ની વસ્તી ગણતરી બાદ દેશની વસ્તી વધી છે અને તેની સાથે NFSAના દાયરામાં આવતા લાભાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જો કાયદો અસરકારક રીતે અમલમાં નહીં આવે તો ઘણા લાયક અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ તેના લાભોથી વંચિત રહેશે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત તળિયે છે

ભૂષણે કહ્યું કે સરકાર દાવો કરી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો છે, પરંતુ વૈશ્વિક ભૂખ સૂચકાંકમાં ભારત ઝડપથી નીચે આવ્યું છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા વધારાના સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું કે NFSA હેઠળ 81.35 કરોડ લાભાર્થીઓ છે, જે ભારતીય સંદર્ભમાં પણ મોટી સંખ્યા છે. ભૂષણે કહ્યું કે 14 રાજ્યોએ એફિડેવિટ દાખલ કરી છે કે તેમનો અનાજનો ક્વોટા ખતમ થઈ ગયો છે. આ મામલે હવે 8 ડિસેમ્બરે સુનાવણી થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular