Tuesday, July 8, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદ : રાવણદહન કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદ : રાવણદહન કાર્યક્રમનું આયોજન કરાયું

વિજયા દશમી નિમિત્તે શ્રી રામ મંડલ સાબરમતી દશહરા સમિતી, પંજાબ સમાજ અમદાવાદ દ્વારા રાવણદહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રામ, લક્ષ્મણ સહિત રામાયણના પાત્રોની સવારીની આખાય વિસ્તારમાં શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ ભવ્ય આતશબાજી કરવામાં આવી. વિજયા દશમીના વિજય સ્વરૂપે દશમાથા વાળા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. સાબરમતી રેલવે કોલોનીના ફૂટબોલ ગ્રાઉન્ડમાં રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા હજારો લોકો ઉમટી પડ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular