Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsInternationalભારતીયોને લેબનોન જલદી છોડી દેવા ભારત સરકારની સલાહ

ભારતીયોને લેબનોન જલદી છોડી દેવા ભારત સરકારની સલાહ

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે તણાવ વધી રહ્યો છે. બેરૂતમાં ઈઝરાયેલ દ્વારા હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકરને મારી નાખવામાં આવ્યો છે, તો બીજી તરફ ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસની રાજકીય પાંખના ચીફ ઈસ્માઈલ હાનિયાના મોત માટે પણ ઈઝરાયેલને જ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં મધ્ય પૂર્વમાં તણાવમાં વધુ વધારો થવાની સંભાવના છે.

ભારત સરકારે એડવાઈઝરી જારી કરી

તેથી, લેબનોનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે સંશોધિત એડવાઈઝરી જારી કરી છે. જેમાં ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી લેબનોન ન જવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ ત્યાં રહેતા ભારતીયોને લેબનોન જલદી છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય એમ્બેસીએ કહ્યું છે કે જો કોઈ ભારતીય કોઈ કારણસર લેબનોનમાં રહેતો હોય તો તેને બહાર ન આવવા અને દૂતાવાસના સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીય એમ્બેસીએ ઈમરજન્સી ફોન નંબર અને ઈમેલ આઈડી પણ જારી કર્યા છે.

અગાઉ, ભારત સરકાર દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં ભારતીયોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી હતી. હાલમાં, લેબનોનમાં રહેતા ભારતીયોની કુલ સંખ્યા લગભગ 9 હજાર છે, જેઓ ત્યાંની કંપનીઓ અને કૃષિ સંબંધિત કંપનીઓમાં કામ કરે છે.

આ હુમલો ઈઝરાયેલના ફૂટબોલ મેદાનમાં થયો હતો

હકીકતમાં, ગયા શનિવારે (27 જુલાઈ) ઇઝરાયેલના ગોલાન હાઇટ્સમાં ફૂટબોલ મેદાન પર મોટો હુમલો થયો હતો. આ રોકેટ હુમલામાં ઓછામાં ઓછા 10 બાળકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં ત્રણ હિઝબુલ્લાહ સભ્યો માર્યા ગયાના થોડા કલાકો બાદ આ હુમલો થયો છે. ઈઝરાયલી મીડિયાએ આ રોકેટ હુમલા પાછળ હિઝબુલ્લાહનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે થોડા કલાકો બાદ હિઝબુલ્લાએ આ હુમલામાં કોઈ સંડોવણીનો ઈન્કાર કર્યો હતો. આ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમનો યુએસ પ્રવાસ અધવચ્ચે જ છોડીને પરત ફરવું પડ્યું હતું. નેતન્યાહુએ કહ્યું હતું કે હિઝબુલ્લાને આની ભારે કિંમત ચૂકવવી પડશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular