Saturday, June 28, 2025
Google search engine
HomeNewsGujaratશહેરમાં પ્રેમ સંબંધમાં શિક્ષકની હત્યા

શહેરમાં પ્રેમ સંબંધમાં શિક્ષકની હત્યા

વિરમગામઃ શિક્ષક પર જીવલેણ હુમલો કરીને હત્યા કરવામાં આવતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે.  શિક્ષકનો પરિણીત યુવતી સાથેનો પ્રેમસંબંધ હત્યાનું કારણ બન્યો છે. મૃતક શિક્ષક નરેશ ચાવડા શંખેશ્વરની પરિણીત મહિલા હર્ષાબેન સાથે મૈત્રી કરાર સાથે વિરમગામ રહેતો હતો. પત્નીના લગ્નેતર સંબંધથી નારાજ પતિએ વિરગામના શિક્ષક પર ઘાતકી હુમલો કર્યો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ શિક્ષકનું સારવાર દરમ્યાન મોત થયું છે. 

આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. નરેશ ચાવડા વિરમગામની જે.જે.શાહ શાળામાં શિક્ષક હતા. રાત્રિના સમયે જ્યારે તેઓ વિરમગામ-માંડલ રોડ પર પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક એક કાર ધસી આવી. અને આ કારમાંથી અજાણ્યા શખસો ઊતર્યા હતા અને બોથડ પદાર્થ હથિયાર વડે શિક્ષક પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં શિક્ષક ગંભીરપણે ઘાયલ થયા. બોથડ પદાર્થ વડે હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જોકે ઘાયલ થયેલા શિક્ષકને ત્યાં હાજર લોકો સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયા. એ દરમ્યાન જીવલેણ હુમલામાં ઘાયલ થયેલ શિક્ષકનું સારવાર દરમ્યાન મોત થયું.

આ મામલે વિરમગામ પોલીસે તપાસ હાથ ધરી. ઘટનાની તપાસ કરતાં પોલીસે ઘટના વખતે હાજર લોકોની પૂછપરછ કરતાં આસપાસ વિસ્તારના સીસીટીવીની ચકાસણી કરી હતી. એ તપાસમાં સામે આવ્યું કે હર્ષાબહેનના પતિ કલાભાઈ ગોહિલ આ સંબંધથી નારાજ હતા. આથી પત્નીના પ્રેમીને પાઠ ભણાવવા કલાભાઈ ગોહિલ અને તેમના મિત્રોએ શિક્ષક પર હુમલો કર્યો. જોકે આ હુમલો શિક્ષક માટે જીવલેણ બન્યો અને તેમનું સારવાર દરમ્યાન મોત થયું છે. વિરમગામ ટાઉન પોલીસે હત્યા મામલે કલાભાઇ હીરાભાઈ ગોહિલ,અજિતભાઈ ખેંગારભાઇ ગોહિલ બંને રહે શંખેશ્વર પાટણ તેમજ જેસંગભાઈ ઉર્ફે ગોકાભાઇ રામાભાઇ કટારિયા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular