Sunday, June 29, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈ: તક્ષશિલા નૃત્યકલા મંદિર દ્વારા નવી પ્રતિભાઓ માટે તરંગ ઉત્સવનું આયોજન

મુંબઈ: તક્ષશિલા નૃત્યકલા મંદિર દ્વારા નવી પ્રતિભાઓ માટે તરંગ ઉત્સવનું આયોજન

મુંબઈ: કલાત્મક ક્ષેત્રે સક્રિય કલાકારો આપણી કલા અને સંસ્કૃતિની જાળવણીમાં મોટુ યોગદાન આપે છે. દેશભરમાં વિવિધ પ્રકારણના કલાત્મ કાર્યક્રમો અને સન્માન સમારોહ પણ યોજાતા હોય છે. મીરા રોડ ખાતે એક આવા જ કલાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કાશ્મીરા ત્રિવેદી

તક્ષશિલા નૃત્ય કલામંદિર દ્વારા લતા મંગેશકર નાટ્યગૃહ, મીરા રોડ ખાતે 10મી નવેમ્બરે શાસ્ત્રીય નૃત્યનો ‘તરંગ ઉત્સવ ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેર કાર્યક્રમમાં નૃત્ય ક્ષેત્રની વિવિધ પ્રતિભાઓ તથા તેમના ગુરુનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમું આયોજન કાશ્મીરા ત્રિવેદી દ્વારા કરાયું છે.

તક્ષશિલા નૃત્ય કલામંદિરની સ્થાપના કાશ્મીરા ત્રિવેદીએ 1988માં કરી હતી. આ સંસ્થાના ઉપક્રમે એમણે વર્ષોથી કેટલીય નવી તથા જાણીતી પ્રતિભાઓને લોકો સમક્ષ રજૂ કરી છે. તેઓ પોતે ભરતનાટ્યમનાં વરિષ્ઠ નૃત્યાંગના અને કોરિયોગ્રાફર છે. એમણે અનેક બેલેનૃત્ય કોરિયોગ્રાફ કર્યા છે અને ભરતનાટ્યમ, કથ્થક તથા ઓડીસી નૃત્યને ‘ત્રિભંગિમા’ એવા નામે એક સાથે મંચ પર રજૂ કર્યા છે.

જાણીતા સિતારવાદક પ્રોફેસર ડોક્ટર રાધાકુમાર, કવિ સંજય પંડ્યા, કુચીપુડી નૃત્યમર્મજ્ઞ વિક્રમકુમાર બથીના તથા સંસ્કારભારતી (ગુજરાત)ના જગદીશ જોશી વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. શાસ્ત્રીય નૃત્યની નવી પ્રતિભાઓનું તરંગ પદ્મ એવોર્ડથી તથા ગુરુનું તરંગ વિદ્વાન એવોર્ડથી વિશેષ અતિથિઓના હસ્તે સન્માન કરવામાં આવશે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય કલાના વિવિધ રંગોને માણવા તથા નવી પ્રતિભાઓને પોંખવા તક્ષશિલા નૃત્ય અકાદમી દ્વારા રસિકજનને જાહેર આમંત્રણ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular