Saturday, June 28, 2025
Google search engine
HomeNewsEntertainmentતારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ફેમ અભિનેતા ગુરુચરણ સિંહ 4 દિવસથી ગૂમ

તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ફેમ અભિનેતા ગુરુચરણ સિંહ 4 દિવસથી ગૂમ

મુંબઈ: લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહના રોલ માટે જાણીતા અભિનેતા ગુરુચરણ સિંહ કથિત રીતે ગુમ થઈ ગયા છે. આ સમાચાર બહાર આવતા જ અભિનેતાના ચાહકોમા નિરાશા ફેલાઈ ગઈ છે. આ સમાચારથી ચાહકો અને કો-સ્ટાર્સને ચોંકી ગયા છે. ગુરુચરણ સિંહ ભારતીય ટેલિવિઝનની દુનિયામાં જાણીતું નામ છે. રોશન સિંહ સોઢીને તેના પાત્રને કારણે ઘણી લોકપ્રિયતા મળી રહી છે. શો છોડ્યા પછી પણ લોકો તેને ભૂલી શક્યા નહોતા. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ હોય છે અને તેની લાઈફ અપડેટ્સ શેર કરતા હોય છે,પરંતુ ચાર દિવસથી કોઈ નવી પોસ્ટ સામે આવી નથી.

ગુરુચરણને છેલ્લે અહીં દેખાયા હતા

ગુરચરણ સિંહ છેલ્લે 22 એપ્રિલે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ગુરચરણ સિંહ મુંબઈ જવા રવાના થઈ રહ્યા હતા, પરંતુ તેઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચ્યા ન હતા અને ન તો ઘરે પાછા ફર્યા હતા. તેના ગુમ થવાથી ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. તેની ઉંમર 50 વર્ષ છે અને તે માનસિક રીતે એકદમ સ્વસ્થ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનો ફોન પણ સ્વીચ ઓફ છે.

પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી

એક અહેવાલ અનુસાર ગુરુચરણ સિંહના વૃદ્ધ પિતાએ દિલ્હીમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવતા કહ્યું, ‘મારો પુત્ર ગુરુચરણ સિંહ, ઉંમર: 50 વર્ષ, 22 એપ્રિલે સવારે 8:30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયા હતા. પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછા ફર્યા. તેમનો ફોન પણ ઉપલબ્ધ નથી. તે માનસિક રીતે સ્થિર છે અને અમે તેને શોધી રહ્યા હતા પણ હવે તે ગુમ છે!’

શોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢી તરીકેની ગુરુચરણ સિંહ ટેલિવિઝન સ્ક્રીન દ્વારા ભારતીય પરિવારોનો એક ભાગ બની ગયા હતા. શો છોડવાના તેના નિર્ણયે લોકોને ઘણા નિરાશ કર્યા હતા. આજે પણ લોકો તેના પરત આવવાની રાહ જુએ છે. અહેવાલ છે કે તેણે તેના પિતાની તબિયતને કારણે શો છોડી દીધો હતો. તેને સમયસર પેમેન્ટ ન મળ્યું હોવાનું પણ જણાવાયું હતું. જોકે, શૉ છોડવાનું કારણ ગમે તે હોય પરંતુ શોમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular