Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsEntertainmentતારક મહેતા ફેમ ગૂમ અભિનેતા આખરે પહોંચ્યા ઘરે, 25 દિવસ સુધી...

તારક મહેતા ફેમ ગૂમ અભિનેતા આખરે પહોંચ્યા ઘરે, 25 દિવસ સુધી ક્યાં હતા?

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ આખરે ઘરે પરત ફર્યા છે. તે 25 દિવસથી ગુમ હતા. તેના પિતાએ દિલ્હી પોલીસમાં ગુમ થવાની FIR પણ નોંધાવી હતી. ગુરુચરણ પોતે ઘણા દિવસો સુધી ગુમ થયા બાદ ઘરે પરત ફર્યા છે. પરત ફરતાં પોલીસે ગુરુચરણની પૂછપરછ કરી હતી. આ દરમિયાન અભિનેતાએ જણાવ્યું કે તે સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા પર ઘર નિકળી ગયા હતા. આ દરમિયાન તેઓ અમૃતસર પછી લુધિયાણા અને અન્ય ઘણા શહેરોમાં ગુરુદ્વારામાં ઘણા દિવસો રોકાયા. પછી તેને સમજાયું કે તેને હવે ઘરે પાછા ફરવું જોઈએ. તેથી તે ઘરે પાછા પહોંચ્યા.

તેના ગુમ થવાના સમાચાર 26 એપ્રિલના રોજ સામે આવ્યા હતા

નોંધનીય છે કે 22 એપ્રિલે ગુરુચરણ સિંહ મુંબઈ જવા માટે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ તેના ગુમ થવાના સમાચાર 26 એપ્રિલે પ્રકાશમાં આવ્યા હતા. પિતાએ તેના પુત્ર અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર ગુરુચરણ 24 એપ્રિલ સુધી દિલ્હીમાં હાજર હતા. આ પછી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો.એવું પણ જાણવા મળે છે કે તે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તે આર્થિક સંકટમાંથી પણ પસાર થઈ રહ્યાં હતા.

તપાસ દરમિયાન પોલીસને ગુરુચરણને લઈને ઘણી કડીઓ મળી. જ્યારે ગુરુચરણ 22 એપ્રિલે ઘરેથી મુંબઈ જવા નીકળ્યા ત્યારે તેઓ મુંબઈ પહોંચ્યા જ નહોતા. તેણે મુંબઈમાં તેને રિસીવ કરવા આવેલા વ્યક્તિને પણ ગેરમાર્ગે દોર્યો હતો. ત્યારબાદ ગુરુચરણે ATMમાંથી 14 હજાર રૂપિયા ઉપાડ્યા હોવાના પણ સમાચાર હતાં.

તપાસ દરમિયાન પોલીસને ગુરુચરણના દસથી વધુ નાણાકીય હિસાબો મળી આવ્યા હતા. એટલું જ નહીં તેની પાસે એકથી વધુ જીમેલ એકાઉન્ટ હોવાનું પણ જાણવા મળ્યું હતું. નજીકના લોકો અને ડિજિટલ તપાસ બાદ પોલીસને જે હકીકતો મળી તે પરથી જાણવા મળ્યું કે ગુરુચરણનો ધર્મ તરફનો ઝોક વધી રહ્યો હતો. તેણે એક ખાસ મિત્ર પાસે પહાડો પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. છેલ્લા સીસીટીવી ફૂટેજમાં તે ઈ-રિક્ષા પછી પગપાળા જતા જોવા મળ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular