Friday, May 23, 2025
Google search engine
HomeNewsGujarat30 એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ

30 એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ

તલાટીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 30મી એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાને પાછી ઠેલવવામા આવી છે. હવે આ પરીક્ષા 7મી મેના રોજ લેવામાં આવશે તેમ જાહેર કરવામા આવ્યું છે.

તલાટીની પરીક્ષા પાછી ઠેલવવામા આવી

ગુજરાતમાં 30 એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલવવામા આવી છે. હવે આ પરીક્ષા હવે 7 મેના રોજ યોજાશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે આજે જાહેરાત કરી છે. પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની જાણકારી આપતા જણાવ્યુ હતુ કે 30 એપ્રીલના રોજ યોજાનાર તલાટીની પરીક્ષાને પાછી ઠેલવવામા આવી છે. અને હવે આ પરીક્ષા 7મી મેના રોજ લેવામાં આવશે. મહત્વનું છે કે કે તલાટીની પરીક્ષા લેવા માટે પૂરતી સંખ્યામાં કેન્દ્રો ન મળતા તેની તારીખ પાછળ ખસેડવી પડી છે.

હવે ઉમેદવારો માટે નવા નિયમ લાગુ થશે

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, હવેથી તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારોએ પહેલા કન્ફર્મેશન આપવાનું રહેશે. તેમજ જે ઉમેદવારો કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે. સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે હેતુથી આ નવો નિર્ણય કરવામા આવ્યો છે.

હસમુખ પટેલે કરી હતી જાહેરાત

અગાઉ હસમુખ પટેલે આ અંગે જાણકારી આપી હતી કે પરીક્ષા યોજવા માટે પૂરતી સંખ્યામાં કેન્દ્રો મળશે તો જ પરીક્ષા 30 એપ્રીલે લેવામા આવશે. મહત્વનું છે કે તલાટીની પરીક્ષા માટે 5700 કેન્દ્રોની જરૂરિયાત છે અને વધારાના કેન્દ્રો મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે પૂરતા કેન્દ્રો ન મળતા આખરે તારીખ પાછી છેલવવામા આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular