Sunday, June 8, 2025
Google search engine
HomeNewsભારતીય ટીમ આવતીકાલે PM મોદી સાથે કરશે મુલાકાત

ભારતીય ટીમ આવતીકાલે PM મોદી સાથે કરશે મુલાકાત

ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસમાંથી ટાઈટલ જીતીને દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. BCCIએ ટીમ ઈન્ડિયાને લેવા માટે સ્પેશિયલ ફ્લાઈટ મોકલી છે. ખેલાડીઓ તેમના વતન પરત ફરશે એટલે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ટીમ ઈન્ડિયાને મળશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને યુઝવેન્દ્ર ચહલ સહિતની આખી ટીમ ચક્રવાતી તોફાન બેરીલને કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. જેના કારણે ખેલાડીઓને પરત ફરવામાં વિલંબ થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમ પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. ટીમ ઈન્ડિયા ગુરુવારે બાર્બાડોસથી દિલ્હી પહોંચી રહી છે. બીસીસીઆઈએ ખેલાડીઓને લાવવા માટે એર ઈન્ડિયાનું બોઈંગ 777 વિમાન મોકલ્યું હતું. ટીમ ઈન્ડિયા સવારે 11 વાગ્યે વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી શકે છે. વડાપ્રધાન મોદીને મળ્યા બાદ તેઓ મુંબઈ જવા રવાના થશે.

મુંબઈમાં ટીમ ઈન્ડિયાની ખુલ્લી બસમાં રોડ શો કરશે

ભારતીય ક્રિકેટ ટીમ વડાપ્રધાન મોદીને મળ્યા બાદ મુંબઈ જવા રવાના થશે. અહીં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ લગભગ 1 કિલોમીટર સુધી ખુલ્લી બસમાં વિજય પરેડમાં ભાગ લેશે. આ પરેડ નરીમાન પોઈન્ટ અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચે થશે. આ પછી ભારતીય ખેલાડીઓને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.

ટીમ ઈન્ડિયા સવારે 11 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદીને મળી શકે છે. આ પછી નાસ્તો પીરસવામાં આવશે. આ બેઠક બાદ ભારતીય ખેલાડીઓ મુંબઈ જવા રવાના થશે. અહીં વિજય પરેડ થશે. આ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ ઈનામની રકમ આપશે. ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે મોટી સંખ્યામાં સમર્થકો પણ એરપોર્ટ પર પહોંચી શકે છે.

મુંબઈમાં 2007ની ઐતિહાસિક ક્ષણનું પુનરાવર્તન થશે

ટીમ ઈન્ડિયાએ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં આ ખિતાબ જીત્યો હતો. આ પછી ધોની સહિત તમામ ખેલાડીઓએ ટ્રોફી સાથે મુંબઈમાં ખુલ્લી બસમાં મુસાફરી કરી હતી. હવે ફરી આવું થવાનું છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ સહિત તમામ ખેલાડીઓ તેનો ભાગ બનશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular