Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalસુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને પૂછ્યું - કેટલા મજૂરોને અનાજ મળી રહ્યું...

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને પૂછ્યું – કેટલા મજૂરોને અનાજ મળી રહ્યું છે ?

સુપ્રીમ કોર્ટે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને સવાલો કર્યા છે. કોર્ટે કહ્યું છે કે સરકારો જણાવે કે નોંધાયેલા 28 કરોડ 55 લાખ મજૂરોમાંથી કેટલા લોકો પાસે રાશન કાર્ડ છે અને કેટલા લોકોને NFSA હેઠળ અનાજ મળી રહ્યું છે. સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેન્ચમાં સામેલ એમઆર શાહ અને જસ્ટિસ બી.વી. નાગરત્ને કહ્યું કે સમગ્ર મામલાની આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ થશે. કોર્ટે એમ પણ કહ્યું કે માત્ર રજીસ્ટ્રેશન પૂરતું નથી.

સુપ્રીમ કોર્ટે બીજું શું કહ્યું

સુપ્રીમ કોર્ટે મંગળવારે (31 જાન્યુઆરી) કેન્દ્ર સરકારને ઇ-લેબર પોર્ટલ પરથી એકત્રિત કરવામાં આવેલા ડેટાને રાજ્યો સાથે શેર કરવા જણાવ્યું હતું. સાથે જ રાજ્ય સરકારોને જણાવવા કહ્યું કે કેટલા પરપ્રાંતિય મજૂરો છે જેથી તેઓને લાભ મળી શકે. આ સિવાય કોર્ટે રાજ્ય સરકારોને આગામી સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે.

કેન્દ્ર સરકારે શું કહ્યું

કેન્દ્ર સરકારે અગાઉ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તે નેશનલ ઈન્ફોર્મેશન સેન્ટર ફોર રજીસ્ટ્રેશન સાથે મળીને આ પ્રકારનું પોર્ટલ બનાવવાની તૈયારી કરી રહી છે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી પરપ્રાંતિય મજૂરોને લાભ મળી શકે.

શું હેતુ જણાવવામાં આવ્યો હતો?

કેન્દ્ર સરકારે કહ્યું કે નોંધણીનો હેતુ પરપ્રાંતિય મજૂરોને ફાયદો કરાવવાનો છે. આ માટે કામગીરી કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular