Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalવિદ્યાર્થીઓને મળશે 10 લાખની એજ્યુકેશન લોન

વિદ્યાર્થીઓને મળશે 10 લાખની એજ્યુકેશન લોન

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મીટિંગ વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ને વધુ મજબૂત કરવા માટે તેની ઈક્વિટી મૂડી વધારીને 10,700 કરોડ રૂપિયા કરવામાં આવી છે. 2004 થી 2014 સુધી ફૂડ સબસિડી રૂ. 5.15 લાખ કરોડ હતી, જે 2014 થી 2024 સુધીમાં વધીને રૂ. 21.56 લાખ કરોડ થઈ છે, જેનાથી ખાદ્ય સુરક્ષા અને વિતરણ વ્યવસ્થામાં સુધારો થશે.

વિદ્યાલક્ષ્મી યોજના પણ મંજૂર

આ સાથે જ કેબિનેટે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ 8 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા પરિવારના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે 3 ટકાના વ્યાજ દરે 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન મળશે. આ લોન દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે, જેથી તેઓ આર્થિક સંકટ છતાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. આ યોજના માટે 3,600 કરોડ રૂપિયાની જોગવાઈ રાખવામાં આવી છે, જે નાણાકીય વર્ષ 2024-25 થી લાગુ કરવામાં આવશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular