Monday, June 9, 2025
Google search engine
HomeNewsEntertainment11 વર્ષે જ અભિનેત્રી બની ગઈ સ્ટાર, બાદમાં પતિએ જ ગોળી મારી...

11 વર્ષે જ અભિનેત્રી બની ગઈ સ્ટાર, બાદમાં પતિએ જ ગોળી મારી કરી હત્યા

મુંબઈ: બોલિવૂડમાં ઘણા સ્ટાર્સનું જીવન કોઈ રહસ્યથી ઓછું નથી. ઘણા એવા સ્ટાર્સ હતા જેમણે ઘણી ખ્યાતિ મેળવી અને મોટું નામ કમાવ્યું અને સફળતા પછી પણ તેમનો અંત કોઈ દુ:ખદ ફિલ્મથી ઓછો નહોતો. એવું જ એક નામ છે અભિનેત્રી સઇદા ખાનનું. સઈદાનો જન્મ 24 ઓક્ટોબર 1949ના રોજ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. નાની ઉંમરે તેણે મોટી હિરોઈન બનવાનું સપનું જોયું હતું. ફિલ્મ નિર્માતા એચ.એચ.રાવૈલનું ફિલ્મી દુનિયામાં પ્રવેશનું પ્રથમ પગથિયું બની ગયું. કિશોર કુમાર સાથે ‘અપના હાથ જગન્નાથ’ અને મનોજ કુમાર સાથે ‘કાંચ કી ગુડિયા’ જેવી સફળ ફિલ્મો કર્યા પછી સઈદાને હિટ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવ્યા. તેને એક પછી એક પ્રખ્યાત કલાકારો સાથે કામ મળવા લાગ્યું અને તેની કારકિર્દી પાટા પર આવી ગઈ.

જેને પ્રેમ કર્યો એણે જ મોતને ઘાટ ઉતાર્યા
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સઈદાની ખ્યાતિમાં ઘટાડો થવા લાગ્યો. ધીમે ધીમે તેને કામ મળવાનું બંધ થવા લાગ્યુ. આ પછી તેણે પોતાની આજીવિકા માટે બી-ગ્રેડ ફિલ્મોનો સહારો લેવો પડ્યો. એક તરફ, તેની કારકિર્દીની દિશા બગડતી ગઈ અને બીજી તરફ, અભિનેત્રી નિર્દેશક-નિર્માતા બ્રિજ સદાનાના પ્રેમમાં પડી ગયા, જે પછી બંનેએ લગ્ન કર્યા અને બે બાળકો થયા. નમ્રતા નામની પુત્રી અને કમલ સદાના નામનો પુત્ર. કમલ સદાના બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. 21 ઓક્ટોબર 1990ના રોજ, સઈદા તેના પુત્ર કમલના 20મા જન્મદિવસની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે નશામાં ધૂત કમલના પિતા એટલે કે સઈદાના પતિએ અંદર આવીને સઈદા અને તેની પુત્રી નમ્રતાને ગોળી મારી દીધી હતી અને કમલને પણ ગોળી મારી દીધી હતી. આ લોકોને ગોળી માર્યા બાદ તેણે પણ જીવ લઈ લીધો હતો. આ સમગ્ર ઘટનામાં માત્ર કમલ જ બચી ગયા હતા.

કમલ (કમલનું કાજોલ સાથે ફોટોશૂટ)

આખો પરિવાર ક્ષણવારમાં વિખૂટો પડી ગયો

તાજેતરમાં, સિદ્ધાર્થ કાનનને આપેલા એક ઇન્ટરવ્યુમાં, કમલે યાદ કર્યું કે તે તેની માતા અને બહેનને હોસ્પિટલમાં લઈ ગયો હતો, તે દરમિયાન તેને પણ ગોળી વાગી હતી અને તેને ખ્યાલ નહોતો કે તેને પણ ગોળી વાગી છે. જ્યારે તબીબોએ તેને તેના શર્ટ પરના લોહી વિશે પૂછ્યુ તો તેને લાગ્યુ તેની માતા અને બહેનનું લોહી છે. તેની માતા અને બહેનને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અભિનેતાને ખ્યાલ ન આવ્યો કે તે પણ ઘાયલ થયો છે. આ ઘટના પછી તેની સર્જરી થઈ અને જ્યારે તે ઘરે પાછો આવ્યો, ત્યારે તેને ખબર પડી કે તેનો આખો પરિવાર વિખેરાઈ ગયો છે. તેઓએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા હતા.

કમલ સદાનાએ કહ્યું, ‘મને પણ ગોળી વાગી હતી, તે મારી ગરદનની એક બાજુથી ઘૂસી ગઈ હતી અને બીજી બાજુથી બહાર આવી હતી, પરંતુ હું બચી ગયો હતો. મારા અસ્તિત્વ માટે કોઈ તાર્કિક કારણ નથી. એવું લાગે છે કે ગોળી દરેક ચેતાને ડોઝ કરીને બીજી બાજુ બહાર આવી. હું મારી માતા અને બહેનને હોસ્પિટલમાં લઈ ગયો જ્યારે તેઓ લોહીથી લથપથ હતા અને તે સમયે મને ખ્યાલ નહોતો કે મને પણ ગોળી વાગી હતી. હૉસ્પિટલમાં પૂરતા પલંગ નહોતા, તેથી મારો મિત્ર મને બીજી હૉસ્પિટલમાં લઈ ગયો. મેં ડૉક્ટરને મારી માતા અને બહેનને જીવંત રાખવા કહ્યું. હું મારા પિતાને પણ તપાસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સર્જરી પછી જ્યારે હું જાગ્યો ત્યારે તેઓ મને ઘરે લઈ ગયા અને મેં મારી નજર સામે મારો આખો પરિવાર મૃત હાલતમાં પડેલો જોયો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular