Friday, June 6, 2025
Google search engine
HomeNewsGujaratસાચી માહિતી લોકો સુધી પહોંચે તે જરૂરી: હર્ષ સંઘવી

સાચી માહિતી લોકો સુધી પહોંચે તે જરૂરી: હર્ષ સંઘવી

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં ચોમાસું સત્રના છેલ્લાં દિવસે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અગત્યની બાબત પર ચર્ચા કરી. જેમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા 15 દિવસમાં રૂપિયા 850 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ચર્ચાનું પ્રસારણ કરવા માટે વિનંતી કરી હતી. જે મુદ્દે તેમણે કહ્યું કે સાચી માહિતી દેશના લોકો સુધી પહોંચે તે જરૂરી છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં વધુમાં જણાવ્યું કે, તમામ લોકોને જવાબ આપવા માગુ છું. રાજ્યના હિતમાં પ્રશ્ન છે કે લોકો માટે પ્રશ્ન ઉપસ્થિત કરે છે તેનો જવાબ આપીશ. રાજ્યની ધરતીને ડ્રગ્સની ધરતી ના બનાવે.

ચર્ચાની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અન્ય કેટલાંક મુદ્દાઓને લઈને ચર્ચા કરવા માટેની માંગ કરવામાં આવી હતી. ત્યારે વિધાનસભા અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ટકોર કરવામાં આવી હતી. બીજી તરફ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, તેમને દુ:ખ શેનું છે એ મને ખબર છે. તેમજ કોંગ્રેસના ધારાસભ્યો જાણી જોઇને વિષય ન ચાલે તેવો પ્રયાસ છે તેમ પણ ઉમેર્યું હતું. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular