Friday, May 23, 2025
Google search engine
HomeNewsGujaratશ્રાધ્ધ: શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ

શ્રાધ્ધ: શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ

અમદાવાદ: ભાદરવા વદ એકમથી શ્રાધ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે. શ્રાધ્ધના સમયગાળામાં દરેક પ્રાંત અને સમાજ પોતાની પરંપરા પ્રમાણે પિતૃઓને યાદ કરી તર્પણ કરે છે. શહેરના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે સમસ્ત પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ભાગવત વિદ્યાપીઠમાં વેદ-શાસ્ત્રોનું અધ્યયન કરતાં ઋષિકુમારો દ્વારા શ્રીમદ્ ભાગવતજીના 18,000 શ્લોકોનું મૂલ પારાયણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર શ્રાધ્ધ પક્ષ દરમિયાન યજમાન પોતાના પિતૃઓના ફોટા સાથે આ પારાયણમાં પધરામણી કરી પૂજા અર્ચના કરી રહ્યા છે.સમસ્ત પિતૃઓના મોક્ષ માટેનો આ શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ તારીખ 18 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સવારે 8 થી 10 દરમિયાન ચાલશે.ઋષિકુમારોની શાસ્ત્રોક્ત, વેદોક્ત, મંત્રોની આગવીશૈલીની પૂજાથી પિતૃ તર્પણનો આ મહોત્સવ ભક્તિમય બની જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular