Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalશ્રી શ્રી રવિ શંકરનું ‘વિશ્વ ધ્યાન દિવસ’ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં મુખ્ય પ્રવચન

શ્રી શ્રી રવિ શંકરનું ‘વિશ્વ ધ્યાન દિવસ’ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં મુખ્ય પ્રવચન

બેંગાલુરૂ: આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિ શંકર 21મી ડિસેમ્બરના રોજ એક લાઈવ વિશ્વ ધ્યાન સત્રનું માર્ગદર્શન કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21મી ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકાર કર્યો છે. ત્યાર બાદ આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ઘટના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટેના ધ્યાનના પરિવર્તનકારી લાભો તેમજ શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપવાની તેની ક્ષમતાની ઓળખાણ કરાવે છે.ન્યૂયોર્કમાં સંયુક્તરાષ્ટ્ર ખાતે ભારતનું સ્થાયી સમૂહ 21 ડિસેમ્બર, 2024ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં આ યાદગાર કાર્યક્રમમાં શ્રી શ્રી રવિ શંકરનું પ્રવચન આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ મહત્વપૂર્ણ અવસર, “વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે ધ્યાન” વિષય પર, પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરશે.

શ્રી શ્રી રવિ શંકરએ આ પ્રસંગે જણાવ્યું કે “સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ધ્યાનની માન્યતા એ એક ગહન અને મહત્વપૂર્ણ પગલું છે. ધ્યાન આત્માને પોષણ આપે છે, મનને શાંતિ આપે છે અને આધુનિક પડકારોનું નિરાકરણ લાવે છે.”21મી ડિસેમ્બરે શ્રી શ્રી રવિ શંકર વૈશ્વિક અધિકારીઓ, જેમાં સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓ, રાજદૂત અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે, તેમને સંબોધન કરશે અને ધ્યાનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકશે જે શાંતિ અને એકતા માટે જરૂરી  છે. આ કાર્યક્રમનું વિશ્વવ્યાપી લાઈવસ્ટ્રીમ કરવાનું આયોજન કરાશે.

વિશ્વ ધ્યાન દિવસ મહત્વપૂર્ણ કેમ છે?

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વિશ્વ ધ્યાન દિવસને સર્વસંમતિથી અપનાવવો એ ધ્યાનની સંભવિતતાની સ્વીકૃતિ છે. જે આધુનિક જીવનના પડકારો જેવાકે – તણાવ અને હિંસાથી લઈને સમાજમાં વિશ્વાસ અને સંબંધોમાં સામંજસ્યના ધોવાણનો સામનો કરવાની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે. શ્રી શ્રી રવિ શંકરે 180 દેશોમાં ધ્યાનના ફાયદા ફેલાવવા માટે 43 વર્ષ સમર્પિત કર્યા છે. તેઓ માને છે કે ધ્યાન માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા અને સામાજિક સંવાદિતા વિકસાવવાનું સૌથી અસરકારક માધ્યમ છે.શ્રી શ્રી રવિ શંકરે શ્રીલંકા, ઈરાક, વેનેઝુએલા અને કોલંબિયા જેવા સંઘર્ષગ્રસ્ત દેશોમાં મધ્યસ્થી અને શાંતિ વાટાઘાટોનું નેતૃત્વ કર્યું છે, જ્યાં તેમને FARC અને કોલંબિયન સરકાર વચ્ચેના 52 વર્ષ લાંબા સંઘર્ષને સમાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો શ્રેય આપવામાં આવે છે. ભૌગોલિક રાજકીય સંઘર્ષોથી લઈને વ્યક્તિગત સંકટો સુધી, ધ્યાન એક સાર્વત્રિક ઉકેલ પ્રદાન કરે છે. જે રાષ્ટ્રીયતા, સંસ્કૃતિ અને વિશ્વાસની સીમાઓથી પરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular