Friday, June 13, 2025
Google search engine
HomeNewsSportsશોએબ અખ્તર દોઢડાહ્યોઃ કોહલીની નિવૃત્તિની ભવિષ્યવાણી કરી

શોએબ અખ્તર દોઢડાહ્યોઃ કોહલીની નિવૃત્તિની ભવિષ્યવાણી કરી

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વિશે એવું નિવેદન કર્યું છે કે આગામી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ બાદ કોહલી ટ્વેન્ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવા વિશે વિચારે એવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સમાપ્ત થયેલી એશિયા કપ સ્પર્ધાની પાંચ મેચમાં કોહલીએ બે વાર નોટઆઉટ રહીને 276 રન કર્યા હતા, જેમાં એક સદીનો સમાવેશ થાય છે (122 નોટઆઉટ). આમ, એ તો હવે ફોર્મમાં આવી ગયો છે. એણે તેનું ગુમાવેલું ફોર્મ પાછું મેળવી લીધું છે ત્યારે અખ્તરે એની નિવૃત્તિનું નિવેદન કેમ કર્યું એ સમજાતું નથી.

ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. એમાં કોહલીને સામેલ કરવામાં આવ્યો છે. હવે અખ્તરે એમ કહ્યું છે કે કોહલી ટેસ્ટ અને વન-ડે ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટ્વેન્ટી-20માંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. એની જગ્યાએ જો હું હોત તો હું પણ એવું જ કરત.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular