Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsSportsઆ ખેલાડી નહીં રમી શકે T20 નો ત્રીજો મેચ!, પ્લેઈંગ-11માં થઈ શકે...

આ ખેલાડી નહીં રમી શકે T20 નો ત્રીજો મેચ!, પ્લેઈંગ-11માં થઈ શકે માટા ફેરફાર

રાજકોટ: આજે એટલેકે 28મી જાન્યુઆરીના રોડ T20 સીરિઝનો ત્રીજો મુકાબલો નિરંજન શાહ સ્ટેડિયમમાં યોજશે. આ મેચમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળશે. ઉલ્લેખનીય છેક ઈંગ્લેન્ડ સામેની છેલ્લી બે મેચમાં ભારતે અંગ્રેજોને કારમી હાર આપી હતી. ટીમ ઈન્ડિયાએ કોલકાતામાં સાત વિકેટથી અને ચેન્નઈમાં 2 વિકેટથી જીત હાંસલ કરી હતી. આજે સાંજે રમાનારી ત્રીજી મેચમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા મુકાબલો જીતી પાંચ મેચોની T20 સીરિઝમાં વિજયી બની શકે છે.

આજે ભારત ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ક્રિકેટ જંગ જામતા પહેલા પ્લેઈંગ-11માં મોટા ફેરફાર થવાની સંભાવનાઓ સેવાય રહી છે. આ મેચમાં ઓલરાઉન્ડર શિવમ દુબે અને રમનદીપ સિંહ રમી શકે છે. શિવમને નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને ટીમમાં સામેલ કરાશે. નીતિશને સ્નાયુ ખેંચાઈ જતાં આરામ આપવામાં આવ્યો છે. જ્યારે રિંકુ સિંહને પણ ઈજા થતાં તેના સ્થાને રમનદીપને લેવામાં આવી શકે છે. રિંકુને પીઠના નીચલા હિસ્સામાં ઈજા થઈ હતી. ટી20 વર્લ્ડ કપ 2024 દરમિયાન શિવમ દુબેએ મીડલ ઓવર્સમાં સ્પિનર્સ વિરૂદ્ધ આક્રમક વલણ અપનાવ્યું હતું. ઓલરાઉન્ડર રમનદીપ સિંહ પણ ચોગ્ગા-છગ્ગા ફટકારવા માટે જાણીતો છે, સાથે સાથે બોલિંગમાં પણ કારગર સાબિત થઈ શકે છે. બંને ઓલરાઉન્ડર ક્રિકેટર આ મેચમાં પોતાનો જાદુ ચલાવે છે કે નહીં તે તો સાંજે જ ખબર પડશે. શિવમે ભારત માટે 33 ટી20 મેચ રમી છે, જેમાં 448 રન અને 11 વિકેટ ઝડપી છે. રમનદીપે બે ટી20 મેચમાં 15 રન અને એક વિકેટ હાંસલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જો શિવમ દુબે અને રમનદીપ સિંહ બંનેને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવે તો ધ્રુવ જુરેલ  અને લેગ સ્પિનર રવિ બિશ્નોઈ ટીમમાંથી બહાર થઈ શકે છે. બિશ્નોઈએ આ સીરિઝમાં અત્યારસુધી એક પણ વિકેટ લીધી નથી. જ્યારે જુરેલ ચેન્નઈ ટી20માં ખાસ પર્ફોર્મ કરી શક્યો નહીં, તે માત્ર ચાર રન બનાવી પવેલિયન ભેગો થયો હતો. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ પણ આ સીરિઝમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે આ ત્રીજી મેચ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular