Sunday, July 6, 2025
Google search engine
HomeNewsSportsકેપ્ટન રોહિત શર્માને ઈંગ્લેન્ડમાં કોરોના થયો

કેપ્ટન રોહિત શર્માને ઈંગ્લેન્ડમાં કોરોના થયો

લેસ્ટરઃ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને કોરોનાવાઈરસ બીમારી લાગુ પડી છે. ગઈ કાલે એની કરાયેલી રેપિડ એન્ટીજેન ટેસ્ટ (RAT) પરથી આ માલુમ પડ્યું હતું. હાલ લેસ્ટરના ગ્રેસ રોડ મેદાન પર લેસ્ટરશાયર સામે ભારતીય ટીમની ચાર-દિવસની પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. ગઈ કાલે મેચનો ત્રીજો દિવસ હતો. રોહિત પણ આ મેચની ઈલેવનમાં કેપ્ટન તરીકે સામેલ હતો, પરંતુ હવે એને ટીમની હોટેલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. તે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની મેડિકલ ટીમની સારસંભાળ હેઠળ છે. આ જાણકારી બીસીસીઆઈ દ્વારા ટ્વિટરના માધ્યમથી આપવામાં આવી છે. રોહિત સાજો થઈ જશે તો જ એને ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈથી એજબેસ્ટનમાં રમાનાર ટેસ્ટ મેચ માટેની ઈલેવનમાં સામેલ કરાશે.

એજબેસ્ટનમાંની ટેસ્ટ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ગયા વર્ષે કોરોનાને કારણે રમી ન શકાયેલી અને મુલતવી રખાયેલી મેચ છે. ગયા વર્ષે ભારતના ઈંગ્લેન્ડના પ્રવાસમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ 2-1થી આગળ હતી. ચોથી ટેસ્ટ મેચ પૂરી થયા બાદ ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓને કોરોના થતાં પાંચમી અને આખરી ટેસ્ટમેચ રમાડી શકાઈ નહોતી. પાંચ-મેચોની શ્રેણી અધૂરી રહી હતી. મુલતવી રખાયેલી અને વિલંબિત થયેલી તે પાંચમી ટેસ્ટ આવતી 1 જુલાઈથી એજબેસ્ટનમાં રમાવાની છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular