Saturday, June 14, 2025
Google search engine
HomeNewsSportsટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન પર ભડક્યા સંજય માંજરેકર

ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન પર ભડક્યા સંજય માંજરેકર

ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય બેટરોનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ જોવા મળી રહ્યું નથી. પર્થ ટેસ્ટની બીજી ઈનિંગને બાદ કરતાં ભારતીય બેટરો કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. એડિલેડમાં રમાયેલી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં બેટરોની હાલત ખરાબ થઇ ગઈ હતી. અને જેને લીધે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે હાલ બ્રિસ્બેનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતે 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ભૂતપૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર સંજય માંજરેકરે આકરા પ્રહારો કર્યા છે.

ભારતીય સ્ટાફમાં બેટિંગ કોચની ભૂમિકા વિશે માંજરેકરે કહ્યું હતું કે, ભારતીય બેટિંગમાં મુખ્ય ટેકનિકલ સમસ્યાઓ ઘણાં લાંબા સમયથી ઉકેલાયેલી નથી. તેના માટે મેનેજમેન્ટે જવાબદાર બનવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘મને લાગે છે કે ભારતીય ટીમમાં બેટિંગના કોચની ભૂમિકાની તપાસ કરવાનો સમય આવી ગયો છે. શા માટે કેટલાક ભારતીય બેટરો સાથેની મુખ્ય ટેકનિકલ સમસ્યાઓ આટલા લાંબા સમય સુધી કેમ ઉકેલાયી નથી? આ ઉપરાંત સંજય માંજરેકરે નામ લીધા વિના BCCI તેમજ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને તેમના કોચિંગ સ્ટાફને ઘણાં મુશ્કેલ પ્રશ્નો પૂછ્યા છે. ગંભીરની કોચિંગ ટીમમાં આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડેશકાટે, આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલનો સમાવેશ થાય છે. જયારે ટી દિલીપ ફિલ્ડિંગ કોચની જવાબદારી સંભાળી રહ્યા છે. રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન પણ તેઓ આ પદ પર રહ્યા હતા. તેણે ભારતીય ટીમમાં બેટિંગ કોચની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંત સસ્તામાં આઉટ થઇ ગયા હતા. રિષભ પંત 9 રન, યશસ્વી જયસ્વાલ 4, વિરાટ કોહલી 3 અને શુભમ ગિલ 1 રન બનાવીને આઉટ થયા હતા.  આપને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનું નિરાશાનજન પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પર્થમાં બીજી ઈનિંગ બાદ કરતા 200 રનનો આંકડો પણ પાર કરી શકી નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular