Thursday, May 15, 2025
Google search engine
HomeNewsSportsગુરુ રમાકાન્ત આચરેકરની પુણ્યતિથિ પર સચિનનો ભાવનાત્મક સંદેશ

ગુરુ રમાકાન્ત આચરેકરની પુણ્યતિથિ પર સચિનનો ભાવનાત્મક સંદેશ

નવી દિલ્હીઃ દુનિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના ગુરુ રમાકાંત આચરેકરની આજે પ્રથમ પુણ્યતીથી છે. ગત વર્ષે આજના દિવસે જ સચિનના બાળપણના ગુરુનું 87 વર્ષની ઉંમરે નિધન થયું હતું. સચિને આજે તેમની પ્રથમ પુણ્યતિથિ પર પોતાના ગુરુ સાથે પોતાનો એક જૂનો ફોટો પોસ્ટ કરતા પોતાની શ્રદ્ધાંજલી અર્પિત કરી છે.પોતાના ગુરુજીની પુણ્યતિથિ પર સચિને લખ્યો ભાવનાત્મક સંદેશ  

માસ્ટર બ્લાસ્ટરે આ ફોટો સાથે મરાઠી ભાષામાં એક સંદેશ પણ લખ્યો છે. સચિને આ સંદેશનું અંગ્રેજીમાં પણ ટ્રાન્સલેશન કરીને પોસ્ટ કરી છે. પોતાના આ ભાવનાત્મક સંદેશમાં સચિને લખ્યું કે, આપ નિરંતર અમારા દિલમાં રહેશો, આચરેકર સર!

તેંડુલકરે પોતાના આ સંદેશને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. ગત વર્ષ જ્યારે આચરેકરનું મુંબઈમાં નિધન થયું હતું ત્યારે સચિને તેમને યાદ કરતા એક ભાવનાત્મક સંદેશ લખ્યો હતો. ત્યારે માસ્ટર બ્લાસ્ટરે લખ્યું હતું કે, આચરેકર સરની ઉપસ્થિતિથી સ્વર્ગમાં પણ ક્રિકેટ સમૃદ્ધ થશે. અન્ય વિદ્યાર્થીઓની જેમ મેં પણ ક્રિકેટની ABCD સરના માર્ગદર્શનમાં જ શીખી છે. મારા જીવનમાં તેમના યોગદાનને શબ્દોમાં વર્ણવી ન શકાય.

કોચ આચરેકરને રમતમાં વિશિષ્ઠ યોગદાન માટે વર્ષ 2010 માં પદ્મશ્રી અને દ્રોણાચ્રાચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આચરેકર સરના શિષ્યોમાં તેંડુલકર સીવાય વિનોદ કાંબલી, પ્રવીણ આમરે, ચંદ્રકાંત પંડિત અને બલવિંદર સિંહ સંધૂ પણ રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular