Sunday, May 18, 2025
Google search engine
HomeNewsSportsરોહિત શર્માને 'ખેલ રત્ન પુરસ્કાર' આપવાની ભલામણ કરાઈ

રોહિત શર્માને ‘ખેલ રત્ન પુરસ્કાર’ આપવાની ભલામણ કરાઈ

નવી દિલ્હીઃ દેશમાં ખેલકૂદ ક્ષેત્ર માટે રમતવીરને અપાતો સર્વોચ્ચ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ-કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને આપવાની એવોર્ડ પસંદગી સમિતિએ કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે.

જો આ ભલામણનો સ્વીકાર થશે તો ખેલ રત્ન એવોર્ડ મેળવનાર રોહિત શર્મા ચોથો ક્રિકેટર બનશે. આ પહેલાં સચીન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલીને આ એવોર્ડ આપવામાં આવી ચૂક્યો છે.

શર્મા ઉપરાંત અન્ય 3 એથ્લીટને ખેલ રત્ન એવોર્ડ આપવાની ભલામણ કરવામાં આવી છે. અન્યો છેઃ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ચેમ્પિયન મનિકા બત્રા અને પેરાલિમ્પિક (વિકલાંગો માટેની ઓલિમ્પિક્સ)ના ગોલ્ડમેડલ વિજેતા મરિઅપ્પન થાંગાવેલુ.

આ ભલામણો માટે કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન (કિરન રિજીજુ)ની મંજૂરી મળવી આવશ્યક છે. તેઓ એને મંજૂરી આપે તે પછી રાષ્ટ્રપતિ (રામનાથ કોવિંદ) આ એવોર્ડ્સ એનાયત કરશે.

સચીન તેંડુલકરને 1997માં, ધોનીને 2007માં અને વિરાટ કોહલીને 2018માં ‘ખેલ રત્ન એવોર્ડ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular