Sunday, May 18, 2025
Google search engine
HomeNewsSports‘શિખર ધવનને જોઈએ એટલું મહત્ત્વ અપાતું નથી’

‘શિખર ધવનને જોઈએ એટલું મહત્ત્વ અપાતું નથી’

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં, ખાસ કરીને આઈસીસી યોજિત સ્પર્ધાઓમાં ટોપ ઓર્ડરમાં શિખર ધવને બેટિંગ દેખાવમાં બતાવેલા સાતત્યની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે લોકો ધવનને તે જેટલો હકદાર છે એટલું મહત્ત્વ આપતા નથી.

સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર એક વિશેષ શોમાં વાતચીત કરતાં શાસ્ત્રીએ આગામી એશિયા કપ અને આઈસીસી મેન્સ વર્લ્ડ કપ-2023 સ્પર્ધાઓ વિશે પોતાનો દ્રષ્ટીકોણ રજૂ કર્યો હતો. ભારતીય ટીમની બેટિંગ લાઈન-અપ વિશે બોલતાં પોતાના વિચારો દર્શાવતા શાસ્ત્રીએ કહ્યું કે, ટીમમાં શિખર ધવન જેવા અનુભવી ખેલાડી હોય તો ઘણો ફરક પડી શકે. શાસ્ત્રીએ ભારતીય ટીમના ભૂતકાળના અનુભવો, ખાસ કરીને 2019ની વર્લ્ડ કપ સ્પર્ધાને લક્ષમાં રાખીને ટીમમાં ડાબોડી બેટર્સના સમાવેશ પર ભાર મૂક્યો હતો. ‘હું એ વખતે ભારતીય ટીમનો કોચ હતો. આપણે વર્લ્ડ કપમાં સરસ રમ્યા હતા, પણ સેમી ફાઈનલમાં હારી ગયા હતા. એ વખતે અમને ધવનની ખોટ મહેસુસ થઈ હતી. ટોપ ઓર્ડરમાં ત્રણ જમોડીની સામે એક ડાબોડી બેટર હોવો જોઈએ, કારણ કે એ વખતે બોલ ઘણો સ્વિંગ થતો હોય છે. હું સ્પષ્ટપણે માનું છું કે લોકો શિખર ધવનને જોઈએ એટલું મહત્ત્વ આપતા નથી. એ ગજબનો ખેલાડી છે,’ એમ શાસ્ત્રીએ વધુમાં કહ્યું.

ઉલ્લેખનીય છે કે, ધવન અત્યાર સુધીમાં આઈસીસી યોજિત 10 વર્લ્ડ કપ મેચોમાં રમ્યો છે જેમાં એણે 53.70ની સરેરાશ સાથે 537 રન કર્યા છે. એમાં તેણે ત્રણ સદી અને એક અડધી સદી ફટકારી હતી. 2015ની વર્લ્ડ કપ સ્પર્ધામાં એણે આઠ મેચોમાં 412 રન કર્યા હતા. એ ભારતનો ટોપ સ્કોરર રહ્યો હતો અને ઓવરઓલ પાંચમો. 2019ની વર્લ્ડ કપ વખતે ઈજા થવાને કારણે એને અધવચ્ચેથી રમવાનું પડતું મૂકવું પડ્યું હતું. જોકે એણે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સદી ફટકારી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular