Friday, May 16, 2025
Google search engine
HomeNewsSportsકોલકાતા ટીમે ઐયરની જગ્યાએ જેસન રોયને કરારબદ્ધ કર્યો

કોલકાતા ટીમે ઐયરની જગ્યાએ જેસન રોયને કરારબદ્ધ કર્યો

કોલકાતાઃ આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે તેના ઈજાગ્રસ્ત રેગ્યૂલર કેપ્ટન શ્રેયસ ઐયરની જગ્યાએ ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને કરારબદ્ધ કર્યો છે. બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકીબ અલ-હસન પણ આ વખતની સ્પર્ધામાંથી ખસી જતાં કોલકાતા ટીમે જેસન રોયને પસંદ કર્યો છે.

રોય ટીમ માટે 9 એપ્રિલની મેચથી ઉપલબ્ધ થશે. એ દિવસે કોલકાતા ટીમનો મુકાબલો ગુજરાત ટાઈટન્સ સામે થશે. બે વખત ચેમ્પિયન બનેલી કોલકાતા ટીમનો કેપ્ટન ઐયર પીઠની ઈજાને કારણે આખી આઈપીએલ-2023માં રમી શકવાનો નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular