Saturday, May 17, 2025
Google search engine
HomeNewsSportsકેન વિલિયમસન ઇજા થવાથી વિશ્વ કપ 2023માંથી બહાર

કેન વિલિયમસન ઇજા થવાથી વિશ્વ કપ 2023માંથી બહાર

નવી દિલ્હીઃ ન્યુ ઝીલેન્ડ ક્રિકેટ ટીમ માટે એક માઠા સમાચાર છે. ટીમના કેપ્ટન કેન વિલિયમસન આ વર્ષના આખરમાં ભારતમાં થનારા વનડે વર્લ્ડ કપ બહાર થઈ ગયો છે. વિલિયમસન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હાલની સીઝન 2023માં ગુજરાત ટાઇટન્સ (GT) દ્વારા રમતાં ઇજાગ્રસ્ત થયો હતો.

વિલિયમસન ઇજાગ્રસ્ત થયા પછી ન્યુ ઝીલેન્ડ પરત ફર્યો હતો ને મંગળવારે સ્કેનથી પુષ્ટિ થઈ હતી કે તેને જમણા ઘૂંટણમાં ઓપરેશન કરાવવાનું છે. વિલિયમસન અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ તરફથી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની સામે ફિલ્ડિંગ કરતાં સમયે ઇજાગ્રસ્ત થયો હતો.

ન્યુ ઝીલેન્ડ ક્રિકેટના નિવેદન અનુસાર જમણેરી બેટ્સમેન આગામી ત્રણ સપ્તાહની અંદર ઓપરેશન કરવામાં આવશે. વિલિયમસને આ સમાચાર મળ્યા પછી ન્યુ ઝીલેન્ડ ક્રિકેટ અને IPL ફ્રેન્ચાઇઝીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે પાછલા દિવસોમાં મને બહુ સહયોગ મળ્યો હતો અને હું ગુજરાત ટાઇટન્સનો આભાર વ્યક્ત કરું છું. એ સ્વાભાવિક છે કે આ પ્રકારે ઇજા થવાથી હું નિરાશ છું, પણ મારું ધ્યાન સર્જરી અને એના પછી ફિટનેસ હાંસલ કરવા પર છે. તેણે કહ્યું હતું કે એમાં થોડો સમય લાગશે, પરંતુ હું જલદી મેદાનમાં ઊતરવા માટે દરેક સંભવ પ્રયાસ કરીશ.

આ પ્રકારની ઇજાંથી બહાર આવવા માટે અને ફિટનેસ હાંસલ કરવા માટે ઘણો સમય લાગી શકે છે, જેથી વિલિયમસનને ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા વનડે વિશ્વકપ સુધી પૂરી રીતે ફિટ થવું અસંભવ છે. ગું આગામી કેટલાક મહિનામાં મુખ્ય કોચ ગેરી સ્ટીડ અને ટીમનો કેવી રીતે સહયોગ કરી શકું છું, એના પર ધ્યાન આપી રહ્યો છું, એમ તેણે કહ્યું હતું.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular