Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsSportsઆઈપીએલ મામલે હજુ બોર્ડે નિર્ણય લીધો નથી

આઈપીએલ મામલે હજુ બોર્ડે નિર્ણય લીધો નથી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઈપીએલની 13 મી સીઝનને લઈને અસમંજસમાં છે કે આ વખતે કોરોના વાયરસના કારણે આઈપીએલનું આયોજન થશે કે નહી? આજે બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું કે, બોર્ડ અત્યારે એ સ્થિતિમાં નથી કે આઈપીએલને લઈને કોઈ નિર્ણય કરે, કારણ કે દેશમાં કોરોના વાયરસ તેજીથી ફેલાઈ રહ્યો છે જેને પહોંચી વળવા માટે સરકાર પગલા ભરી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આઈપીએલને લઈને અત્યાર સુધીમાં કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. આપણે અત્યારે વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છીએ અને પરિસ્થિતિઓને ધ્યાને રાખીને જ કોઈ નિર્ણય કરવામાં આવશે. આઈપીએલ 2020 પહેલા 29 માર્ચથી શરુ થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે લીગની ડેટને આગળ વધારવી પડી. બીસીસીઆઈએ આ મહિને નિર્ણય કર્યો હતો કે આઈપીએલની 31 મી સીઝન 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular