Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsSportsકર્ણાટક ચૂંટણીનાં પરિણામો આવતાં બ્રિજભૂષણ નથી રહ્યા WFIના અધ્યક્ષ

કર્ણાટક ચૂંટણીનાં પરિણામો આવતાં બ્રિજભૂષણ નથી રહ્યા WFIના અધ્યક્ષ

 નવી દિલ્હીઃ બ્રિજભૂષણ શરણ સિંહ 13 મે, 2023થી ટેક્નિકલ રૂપે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ નથી રહ્યા. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને (IOA) 13એ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના બધા હાલના પદાધિકારીઓને તત્કાળ અસરથી ફેડરેશનના કોઈ પણ વહીવટી સમારોહમાં ભાગ લેવા અને આર્થિક કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. IOAના તાજા નિર્ણય જંતર-મંતર પર દેશના ટોચના રેસલરોના ધરણાંને ધ્યાનમાં રાખતાં મહત્ત્વનો માનવામાં આવે છે.

IOAએ આ સંબંધે એક નિવેદન જારી કર્યું છે. આ નિવેદનમાં સ્પોર્ટ્સ મંત્રાલય 24 એપ્રિલ, 2023એ આદેશનો હવાલો આપવામાં આવ્યો હતો. IOAએ WFIથી બધા દસ્તાવેજ, ખાતાઓ અને વિદેશમાં થનારી અથવા આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે મોકલવામાં આવતી એન્ટ્રીનું લોગ ઇન, વેબસાઇટ સંચાલન તત્કાળ સોંપવા માટે કહ્યું હતું. સ્પોર્ટ્સ મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા NULL And Void (કાયદાથી ગેરકાયદે) ઘોષિત કરી દીધું હતું.

સ્પોર્ટ્સ મંત્રાલયે IOAની હંગામી સમિતિએ ફેડરેશનની ચૂંટણી કરાવવા અને એના વહીવટની જવાબદારી પણ સોંપી હતી. IOAનો નિર્ણય એવા સમયે આવ્યો છે, જે દિવસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં છે. કર્ણાટકમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી મળી, જ્યારે ભાજપની સત્તા ગઈ છે. આ પહેલાં 12 મેએ બ્રિજભૂષણ શરણ સિંહે દિલ્હી પોલીસની પાસે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, જેમાં તેમણે ખુદને નિર્દોષ બતાવ્યા હતા. તેમની પર એક સગીર સહિત સાત પહેલવાનોએ યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular