Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsSportsશ્રેયસ ઐયર હજી સાજો થયો નથી, કદાચ એશિયા કપ ચૂકી જશે

શ્રેયસ ઐયર હજી સાજો થયો નથી, કદાચ એશિયા કપ ચૂકી જશે

મુંબઈઃ ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર બેટર શ્રેયસ ઐયર પીઠના દુખાવાની તકલીફથી લાંબા સમયથી ટીમની બહાર છે. એને આ વર્ષની શરૂઆતમાં બોર્ડર-ગાવસકર ટ્રોફીની મેચ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી. ત્યારબાદ એની સર્જરી પણ થઈ છે. તે આ વર્ષની આઈપીએલ સ્પર્ધામાં પણ રમી શક્યો નહોતો. હજી પણ એ મેદાન પર જલદી પાછો ફરે એવી શક્યતા નહીંવત્ છે.

ઐયરને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જનારી ભારતીય ટીમમાં સામેલ કરાયો નથી અને અખબારી અહેવાલો અનુસાર, એને મેચ ફિટનેસ પ્રાપ્ત કરતાં હજી લગભગ ત્રણ મહિના જેટલો સમય લાગશે. એનો મતલબ એ થયો કે તે આ વર્ષની એશિયા કપ સ્પર્ધા તો ચૂકી જ જશે, પણ ભારતમાં જ નિર્ધારિત વર્લ્ડ કપ-2023માં રમવાનું પણ એને માટે મુશ્કેલ બનશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular