Monday, May 19, 2025
Google search engine
HomeNewsSportsઅશ્વિને ફટકારી સદીઃ ટીમ ઇન્ડિયા 339એ છ વિકેટ

અશ્વિને ફટકારી સદીઃ ટીમ ઇન્ડિયા 339એ છ વિકેટ

ચેન્નઈઃ ભારત અને બંગલાદેશની વચ્ચે ચેન્નઈમાં પ્રથમ ટેસ્ટ શરૂ થઈ છે. બંગલાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી અને ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા બોલાવી હતી. જોકે ટીમ ઇન્ડિયાનો નબળો પ્રારંભ થયો હતો. રોહિત શર્મા માત્ર છ રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ શુભમન ગિલ પણ ઝીરો રને પેવેલિયન ભેગો થયો હતો. ભારતે પહેલા દિવસની રમતને અંતે છ વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા હતા.

એ પછી વિરાટ કોહલી પણ માત્ર છ રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો. જોકે જયસ્વાલે અને રિશભ પંતે ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. યશસ્વીએ 56 રન બનાવ્યા હતા, જ્યારે પંતે 39 રન બનાવ્યા હતા. બંને જણે ચોથી વિકેટની ભાગીદારીમાં 62 રન જોડ્યા હતા. જોકે પંત 39 રન બનાવીને અને જયસ્વાલ 56 રન બનાવીને આઉટ થયા હતા. ત્યાર બાદ KL રાહુલ 16 રન બનાવી શક્યો હતો.

ત્યાર પછી રવિચંદ્રન અશ્વિન અને જાડેજાએ બાજી સંભાળી હતી. રમતના અંતે આર. અશ્વિને 102 રન સાથે હજી દાવમાં છે, જ્યારે જાડેજા 86 રન સાથે દાવમાં છે.  બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ કહ્યું હતું કે પિચ પર ભેજ છે અને તેઓ આ પરિસ્થિતિઓનો લાભ લેવા ઇચ્છે છે. જેથી તેણે પહેલાં બોલિંગ લીધી હતી. તેણે કહ્યું હતું કે છેલ્લી મેચની જેમ આ વખતે પણ અમે ત્રણ ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરીશું અને બે ઓલરાઉન્ડર.  

ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું  કે અમે એક અમે એક અઠવાડિયા પહેલા અહીં આવ્યા હતા અને સારી તૈયારી કરી હતી, અમે ત્રણ ઝડપી બોલરો – આકાશ, બુમરાહ અને સિરાજ અને બે સ્પિનરો – અશ્વિન અને જાડેજા સાથે જવાનું નક્કી કર્યું હતું.

ભારતની પ્લેઈંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશની પ્લેઈંગ 11

શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ રાણા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular