Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentઆખરે શત્રુઘ્ન સિન્હાએ જમાઈરાજા સાથે કરી મુલાકાત

આખરે શત્રુઘ્ન સિન્હાએ જમાઈરાજા સાથે કરી મુલાકાત

બઈ: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ સમાચારની પુષ્ટિ થઈ ગઈ છે. સોનાક્ષી અને ઝહીર 23 જૂને લગ્ન કરવા જઈ રહ્યા છે. પહેલા એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે સોનાક્ષીનો પરિવાર તેના નિર્ણયથી ખુશ નથી. પરંતુ હવે પિતા શત્રુઘ્ન સિંહાએ આ તમામ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. એક તરફ શત્રુઘ્ન સિન્હા પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેમને સોનાક્ષી અને ઝહીરના લગ્નથી કોઈ વાંધો નથી અને તેઓ તેમની પુત્રીના લગ્નમાં ચોક્કસપણે હાજરી આપશે. ત્યારે બીજી તરફ શત્રુઘ્ન સિન્હા તેમની પત્ની પૂનમ સિંહા સાથે જમાઈ રાજા ઈકબાલ રતનસીના ઘરે પહોંચ્યા હતાં, જેણે એ દાવાઓ પર પણ પૂર્ણવિરામ લગાવી દીધું કે તેઓ સોનાક્ષી-ઝહીરના લગ્નથી ખુશ નથી. અહીં તેણે તેના ભાવિ જમાઈ ઝહીર ઈકબાલ સાથે પેપ્સને પોઝ પણ આપ્યા હતાં. આ દરમિયાન બંને એકબીજા સાથે વાત કરતા અને હસતા જોવા મળ્યા હતા.

સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાણીએ શત્રુઘ્ન સિન્હાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં પીઢ અભિનેતા તેમના ભાવિ જમાઈ ઝહીર ઈકબાલ અને વેવાઈ ઈકબાલ રતનસી સાથે પોઝ આપતા જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ યૂઝર્સ પણ તેના પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે સોનાક્ષીના પેરેન્ટ્સ શત્રુઘ્ન સિંહા-પૂનમ સિંહા અને ભાઈ લવ સિંહા અને ઝહીર સાથે તેણીના લગ્નથી ખુશ નથી.

ગઈકાલે રાત્રે જ શત્રુઘ્ન સિંહા તેની પત્ની પૂનમ સિંહા સાથે ઈકબાલ રતનસીના ઘરે પહોંચ્યા હતા, જ્યાં પેપ્સે તેને કેમેરામાં કેદ કરી લીધા હતા. આ દરમિયાન પેપ્સે શત્રુઘ્ન અને તેની પત્ની પૂનમને પોઝ આપવા કહ્યું. જ્યારે પૂનમ પેપ્સને અવગણીને આગળ વધી, ત્યારે શત્રુઘ્ન રોકાયા અને તેના ભાવિ જમાઈ અને વેવાઈ સાથે પોઝ આપ્યો. ઘણા યુઝર્સ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યાં એક તરફ કેટલાક યુઝર્સ સિંહા પરિવારને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક એવા પણ છે જેઓ વર-કન્યાને સકારાત્મક પ્રતિક્રિયા આપીને અભિનંદન આપી રહ્યા છે.

લગ્ન બાદ સોનાક્ષી બાંદ્રામાં જોવા મળી

બીજી તરફ, સોનાક્ષી હાલમાં જ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં લગ્નની તૈયારીઓ વચ્ચે જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી સફેદ આઉટફિટમાં જોવા મળી હતી. પરંતુ, જ્યારે પેપ્સે તેને પોઝ આપવાનું કહ્યું ત્યારે અભિનેત્રીએ ના પાડી દીધી. એટલું જ નહીં સોનાક્ષી સિવાય તેના પિતા પણ બાંદ્રા પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષી અને ઝહીર બાંદ્રામાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બાસ્ટિયનમાં તેમના લગ્નનું રિસેપ્શન હોસ્ટ કરવા જઈ રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular